કાશ્મીરના નરસંહારની વાસ્તવિક સ્ટોરી લઈને આવ્યા અનુપમ ખેર
નયનતારા સાથે ‘કનેક્ટ’માં જોવા મળશે અનુપમ ખેર
ADVERTISEMENT
કાશ્મીરના નરસંહારની વાસ્તવિક સ્ટોરી લઈને આવ્યા અનુપમ ખેર
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને ૨૬ જાન્યુઆરીએ કરવામાં આવશે રિલીઝ
અનુપમ ખેરની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ દ્વારા કાશ્મીરી પંડિતો સાથે વર્ષો પહેલાં થયેલા અમાનવીય અત્યાચાર પર પ્રકાશ નાખવામાં આવશે. આ ફિલ્મમાં પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મને વિવેક રંજન અગ્નિહોત્રીએ લખી અને ડિરેક્ટ કરી છે. ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘કાશ્મીરના હિન્દુઓને પોતાના નરસંહારની સ્ટોરી વિશ્વને દેખાડવા માટે ૩૧ વર્ષ કરતાં પણ વધુ સમય રાહ જોવી પડી હતી. આઝાદ ભારતમાં થયેલી એ નિર્દય ઘટનાને છુપાવવાના અનેક પ્રયાસો થયા હતા. આમ છતાં અમે હવે છેવટે કાશ્મીર નરસંહારની વાસ્તવિક સ્ટોરી રજૂ કરી રહ્યા છીએ. ૨૦૨૨ની ૨૬ જાન્યુઆરીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રિલીઝ કરવામાં આવશે. આખા વિશ્વને આ સ્ટોરી દેખાડવામાં અમારી મદદ કરો.’