Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન

કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન

20 November, 2021 07:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પરિણામ ધાર્યું ન મળવા છતાં પણ તે પોતાના મનની વાત કહે છે. આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બૅલૅન્સની સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે.’

કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન

કૉમેડી માટે કલાકારમાં સચોટ ટાઇમિંગ હોવું જોઈએ : માધવન


આર. માધવનનું કહેવુ છે કે કૉમેડી કરવા માટે કલાકારમાં કૉમિક ટાઇમિંગ પર્ફેક્ટ હોવું જરૂરી છે. આર. માધવન અને સુરવીન ચાવલા કૉમેડી ડ્રામા ‘ડીકપલ્ડ’માં દેખાવાનાં છે. આર. માધવન આર્યની ભૂમિકામાં અને સુરવીન શ્રુતિનું પાત્ર ભજવતી દેખાશે. આ શોમાં અતુલ કુમાર અને સિદ્ધાર્થ શર્મા પણ જોવા મળશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર આ શો ૧૭ ડિસેમ્બરે દેખાશે. કૉમેડી વિશે આર. માધવને કહ્યું હતું કે ‘કૉમેડી માટે કલાકારોમાં સચોટ ટાઇમિંગ, બૅલૅન્સ, રિધમ અને લોકોને સતત હસાવી શકે એવી પર્સનાલિટી હોવી જોઈએ. હું પલ્પ-ફિક્શન રાઇટરનું પાત્ર ભજવી રહ્યો છું જેનામાં ઑબ્જેક્ટિવિટી અને ટ્રાન્સપરન્સીની સેન્સ ગજબની છે. પરિણામ ધાર્યું ન મળવા છતાં પણ તે પોતાના મનની વાત કહે છે. આર્યનું પાત્ર ટાઇમિંગ તથા બૅલૅન્સની સાથે ભજવવું એ મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2021 07:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK