Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે: અમાયરા દસ્તુર

બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે: અમાયરા દસ્તુર

05 October, 2020 01:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે: અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર

અમાયરા દસ્તુર


અમાયરા દસ્તુરનું કહેવું છે કે દેશમાં બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ હાથરસ અને બલરામપુરમાં હિચકારી બળાત્કાર અને હત્યાનો મામલો ઉજાગર થયો છે. આ સિવાય મધ્ય પ્રદેશમાં પણ નરસિંહપુરમાં એક મહિલા સાથે સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. પોલીસે તેની ફરિયાદ નોંધી નહીં એથી તેણે આત્મહત્યા કરી લીધી. તેના નિધન બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. આ બાબતને લઈને ટ્વિટર પર અમાયરાએ ટ્વીટ કર્યું હતું કે ‘શું મહિલાના નિધન બાદ કેસ રજિસ્ટર કરવાનો? ભારતને શું થયું છે? શું કામ પોલીસ આપણી રક્ષા નથી કરતી? શું કામ બળાત્કારની ઘટનાઓ સતત થઈ રહી છે? શું કામ દેશમાં બળાત્કાર વધી રહ્યા છે? શું કામ માણસો આવી હિચકારી ઘટના કરતાં ડરતા નથી અને મહિલાઓને અપશબ્દો બોલે છે? શું કામ?’


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2020 01:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK