Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પૃથ્વીરાજ’ને સ્કૂલમાં દેખાડવા માટે સરકારને વિનંતી કરી અક્ષયકુમારે

‘પૃથ્વીરાજ’ને સ્કૂલમાં દેખાડવા માટે સરકારને વિનંતી કરી અક્ષયકુમારે

10 May, 2022 03:12 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટમાં મમ્મીને લઈને તે ઇમોશનલ પણ થઈ ગયો હતો

સમીર માર્કન્ડે

સમીર માર્કન્ડે


અક્ષયકુમારે જણાવ્યું છે કે દરેક પેરન્ટે પોતાનાં બાળકોને ‘પૃથ્વીરાજ’ની સ્ટોરી દેખાડવી જોઈએ. આ ફિલ્મ ૩ જૂને રિલીઝ થવાની છે. અક્ષયકુમારે સાથે જ સરકારને પણ વિનંતી કરી છે કે સ્કૂલમાં પણ આ ફિલ્મ બાળકોને દેખાડવામાં આવે જેથી ઇતિહાસના આ મહાન વીર પુરુષ વિશે સૌને માહિતી મળી શકે. એ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘મારી ઇચ્છા છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વનાં તમામ બાળકોને આ ફિલ્મ દેખાડવી જોઈએ. આ એક એજ્યુકેશનલ ફિલ્મ છે. સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સ્ટોરી તમારાં બાળકોને દેખાડવી જોઈએ. આ ફિલ્મમાં કામ કરીને હું ગર્વ અનુભવી રહ્યો છું. આજે જો મારી મમ્મી જીવિત હોત તો તેને પણ ખૂબ ગર્વ થયો હોત. હું સરકારને પણ વિનંતી કરું છું કે તેઓ આ ફિલ્મ ફરજિયાત દેખાડે જેથી બાળકોને આપણા જાજરમાન ઇતિહાસ વિશે ક્યારે શું બન્યું હતું એની માહિતી મળી શકે. ફિલ્મમાં તમે જે કંઈ પણ જોશો એ સત્ય જ છે. એ ઘટના ખરેખર ઘટી હતી, પરંતુ આપણને જાણ નહોતી. મને આ સ્ટોરી ખૂબ વિસ્મયકારી લાગી હતી. ડૉક્ટર સાહેબે ૧૮ વર્ષ સુધી રિસર્ચ કર્યું હતું. આ પ્રકારે તેમણે આ ફિલ્મ માટે સખત મહેનત કરી હતી.’

કઈ વાતનું માઠું લાગી આવ્યું છે અક્ષયકુમારને?



ઇતિહાસ પર આધારિત યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટમાં અક્ષયકુમારે જણાવ્યું કે આજે ઇતિહાસની બુકમાં આ મહાન સમ્રાટ વિશે માત્ર એક ફકરો જ લખાયેલો છે. એથી તેને ખૂબ દુ:ખ થયું છે. આ ફિલ્મમાં તે પૃથ્વીરાજ બન્યો છે અને માનુષી છિલ્લર સંયોગિતાના રોલમાં છે. ફિલ્મ વિશે અક્ષયકુમારે કહ્યું કે ‘હું ૩૦ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. ૩ દાયકાની મારી કરીઅરમાં આટલી મોટા પાયે ઇતિહાસ પર આધારિત ફિલ્મ મેં કદી નથી જોઈ. આ મહાન લડવૈયાનું પાત્ર ભજવીને હું પોતાને સંપૂર્ણ માની રહ્યો છું. હું મારા ડિરેક્ટર ડૉક્ટર ચન્દ્રપ્રકાશ દ્વિવેદી અને પ્રોડ્યુસર આદિત્ય ચોપડાનો આભાર માનું છું. અમે જ્યારે આ ફિલ્મની જર્નીની શરૂઆત કરવાના હતા ત્યારે ડિરેક્ટરે મને પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત એક બુક આપી હતી. એ બુક વાંચ્યા પછી મને એહસાસ થયો કે પૃથ્વીરાજ ચોહાણ કેટલા મહાન યોદ્ધા હતા. મને એ વાતનું દુ:ખ લાગે છે કે આજે ઇતિહાસની બુકમાં પૃથ્વીરાજ ચૌહાણની બહાદુરી વિશે માત્ર એક ફકરો જ લખાયેલો છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2022 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK