`રક્ષાબંધન`ને લઈને વિવાદ અને હવે તેને બૉયકૉટની માગ કરવામાં આવી છે. #BoycottRakshaBandhan સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.
અક્ષય કુમાર (તસવીર સૌજન્ય મિડ-ડે)
સુપરસ્ટાર અક્ષય કુમાર હાલ પોતતાની આગામી ફિલ્મ `રક્ષાબંધન`ને લઈને ચર્ચામાં છે. ફિલ્મને લઈને વિવાદ સર્જાયો છે. `રક્ષાબંધન`ને લઈને વિવાદ અને હવે તેને બૉયકૉટની માગ કરવામાં આવી છે. #BoycottRakshaBandhan સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. એવામાં હવે અક્ષય કુમારે આ અંગે પ્રતિક્રિયા આપતા હેટર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. ખેલાડી અક્ષય કુમારે કહ્યું કે ફિલ્મો ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે એવામાં આની સાથે આવું વર્તન ન કરવામાં આવે.
અક્ષય કુમારી કરી આ વાત
અક્ષય કુમારે તાજેતરમાં જ કોલકાતામાં અપકમિંગ ફિલ્મ `રક્ષાબંધન`નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન તેણે `બૉયકૉટ રક્ષાબંધન` પર પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ભારત એક સ્વતંત્ર દેશ છે, જ્યાં જે કંઇપણ ઇચ્છે તે કરી શકે છે. અક્ષય કુમારે કહ્યું, "જેવું મેં હમણાં જ કહ્યું કે આ એક ફ્રી કન્ટ્રી છે અને દરેક જણ જે ઇચ્છે તે કરી શકે છે, પણ આ બધું ભારતની અર્થવ્યવસ્થામાં મદદ કરે છે. આપણાં બધા સૌથી મોટા અને મહાનતમ દેશ બનવાને આરે છીએ. હું તેમને ટ્રોલર્સ અને તમે મીડિયાને રિક્વેસ્ટ કરું છું કે આમાં ન પડો."
ADVERTISEMENT
View this post on Instagram
કરી રહ્યો છે ફિલ્મનું પ્રમોશન
અક્ષય કુમાર આ શુક્રવારે 11 ઑગસ્ટે રિલીઝ થતાં પહેલા પોતાની ફિલ્મનું પ્રમોશન આખા દેશમાં ફરી-ફરીને કરી રહ્યો છે. કોલકાતા પછી એક્ટર અને તેની ટીમ સાદિયા ખતીબ, સ્મૃતિ શ્રીકાંત, દીપિકા ખન્ના અને સહજમીન કૌર સાથે લખનઉ પણ ગયો અને હવે દિલ્હી પણ જશે. અક્ષયે સોશિયલ મીડિયા પર આને શૅર કરતા જણાવ્યું કે ટીમ રક્ષાબંધ કોલકાતા માટે રવાના, પછી લખનઉ અને પછી દિલ્હી જશે. પ્રમાણિકતાથી ફિલ્મ નિર્માણ એક સરળ કામ છે, પણ પ્રમોશન બાળકોનો જીવ લઈ લે છે. (મુશ્કેલ હોય છે.)
ભાઈ બહેનની સ્ટોરી પર આધારિત છે ફિલ્મ
આ ફિલ્મને આનંદ એલ રૉયે ડિરેક્ટ કરી છે, જે પહેલા `રાંઝણા`, `તનુ વેડ્સ મનુ`, `તનુ વેડ્સ મનુ રિટર્ન્સ` જેવી ફિલ્મો બનાવી છે. `રક્ષાબંધન`માં ભાઈ-બહેનના પવિત્ર સંબધની સ્ટોરી કહેવામાં આવી છે. અક્ષય લાલા કેદારનાથનું પાત્ર ભજવી રહ્યો છે, જેની ચાર બહેનો છે. ભૂમિ પેડણેકર પણ આ ફિલ્મનો ભાગ છે.