ચિરંજીવી તરફથી કોઈક જવાબ મળે એની રાહ ડિસ્ટ્રિબ્યુટર્સ જોઈ રહ્યા છે
‘આચાર્ય’નું પોસ્ટર
ડિસ્ટ્રિબ્યુટર રાજગોપાલ બજાજે ‘આચાર્ય’ના નુકસાનની ભરપાઈ કરવાની વિનંતી કરતો એક પત્ર ચિરંજીવીને લખ્યો છે. કોરતલા સિવા ડિરેક્ટેડ આ ફિલ્મમાં ચિરંજીવી અને તેનો દીકરો રામ ચરણ લીડ રોલમાં છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ખાસ કોઈ કમાલ નથી કરી શકી અને એને કારણે ડિસ્ટ્રિબ્યુટર્સને ભારે નુકસાન થયું છે. રાજગોપાલ બજાજે લખેલા લેટરમાં લખવામાં આવ્યું છે કે ફિલ્મને સારો રિસ્પૉન્સ ન મળતાં ડિસ્ટ્રિબ્યુટર્સને અતિશય નુકસાન થયું છે. ચિરંજીવી તરફથી કોઈક જવાબ મળે એની રાહ ડિસ્ટ્રિબ્યુટર્સ જોઈ રહ્યા છે. રાજગોપાલ બજાજે કહ્યું કે હું કર્જમાં ડૂબી ગયો છું.