Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આમિર ખાન એટલો પ્રામાણિક છે કે ફિલ્મ ખરાબ હોય તો તે કચરા જેવી ફિલ્મ છે એવું કહી દે છે: કુણાલ કપૂર

આમિર ખાન એટલો પ્રામાણિક છે કે ફિલ્મ ખરાબ હોય તો તે કચરા જેવી ફિલ્મ છે એવું કહી દે છે: કુણાલ કપૂર

02 April, 2021 03:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુણાલ અને આમિરે ‘રંગ દે બસંતી’માં સાથે કામ કર્યું હતું

કુણાલ કપૂર

કુણાલ કપૂર


કુણાલ કપૂરનું કહેવું છે કે આમિર ખાન ખૂબ જ પ્રામાણિક હોવાથી તેનો ફીડબૅક ખૂબ જ મહત્ત્વનો છે. કુણાલ અને આમિરે ‘રંગ દે બસંતી’માં સાથે કામ કર્યું હતું. કુણાલની અમાયરા દસ્તુર સાથેની ‘કોઈ જાને જા’ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં આમિરે ‘હરફન મૌલા’ ગીતમાં એલી અવરામ સાથે કામ કર્યું છે. આ ફિલ્મ વિશે આમિરના રિસ્પૉન્સ વિશે કુણાલે કહ્યું હતું કે ‘આ ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં જેણે પણ ફિલ્મ જોઈ છે તેમાંનું કોઈ પણ છેલ્લે સુધી શું થશે એ ધારી શક્યું નહોતું. થ્રિલર-મિસ્ટરી માટે દર્શકોને છેલ્લે સુધી સીટ પર બેસાડી રાખવા ખૂબ જ મહત્ત્વનું છે. અમને ખાતરી થઈ ગઈ હતી કે અમારી જે સરપ્રાઇઝ છે એ ફિલ્મ માટે ફાયદાકારક છે. આમિર ખાન અને આશુતોષ ગોવારીકરને આપણે તેમની ફિલ્મ માટે ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ. તેમને બન્નેને આ ફિલ્મ ગમી હતી. ફીડબૅકની વાત હોય ત્યારે આમિર ખૂબ જ પ્રામાણિક હોય છે. અમે પહેલાં ખૂબ જ ચિંતામાં હતા, કારણ કે સ્ક્રી​નિંગ બાદ આમિર બહાર આવીને અમને કહી શકે છે કે તમે આ ફિલ્મને ભૂલી જાઓ અને આગળ વધો, કારણ કે આ ફિલ્મ કચરો છે અને એ નિષ્ફળ રહેશે. જોકે તેને ફિલ્મ પસંદ પડી હોવાથી મારા માટે એ ખૂબ જ મહત્ત્વનું છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2021 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK