આમિર ખાનનું કહેવું છે કે તેના માટે ‘મહાભારત’ બનાવવી એ ફિલ્મ નહીં પરંતુ એક યજ્ઞ સમાન છે
આમિર ખાન
આમિર ખાનનું કહેવું છે કે તેના માટે ‘મહાભારત’ બનાવવી એ ફિલ્મ નહીં પરંતુ એક યજ્ઞ સમાન છે. તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ ૧૧ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મ બનાવવામાં ૧૪ વર્ષનો સમય લાગ્યો હતો અને એના માટે રાઇટ્સ મેળવવા માટે ૮-૯ વર્ષનો સમય લાગ્યો હતો. હાલમાં આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ને પ્રમોટ કરી રહ્યો છે. ઘણા સમયથી એવું સાંભળવા મળી રહ્યું છે કે આમિર ‘મહાભારત’ બનાવવાનો છે. જોકે એને બનાવવાનો પણ તેને ડર લાગી રહ્યો છે. એ વિશે આમિરે કહ્યું કે ‘તમે જ્યારે ‘મહાભારત’ બનાવો તો તમે એ ફિલ્મ નથી બનાવતા, પરંતુ તમે એક યજ્ઞ કરી રહ્યા હો છો. આ માત્ર એક ફિલ્મ નથી, એના કરતાં પણ વિશેષ છે. એથી હાલમાં હું એના માટે તૈયાર નથી. મને એ બનાવતાં પણ ડર લાગી રહ્યો છે. ‘મહાભારત’ તમને કદી નિરાશ નહીં કરે, પરંતુ તમે કદાચ એને નિરાશ કરી શકો છો.’
ફિલ્મ નિષ્ફળ થાય તો એમાંથી પણ ઘણું શીખવા મળે છે એવું જણાવતાં આમિરે કહ્યું કે ‘ક્યાં ભૂલ થઈ છે એ વિશે હું સતત વિચાર્યા કરું છું. જો ફિલ્મ સફળ ન થાય તો એ એક તક છે કે તમે જાણી શકો છો કે ક્યાં ભૂલ થઈ છે. હું આજે જે પણ છું તો એ મારી નિષ્ફળતાને કારણે છું, સફળતાને કારણે નહીં. મારી નિષ્ફળતાને હું મારા દિલની નજીક રાખુ છું, કેમ કે એ તમને ઘણું શીખવે છે. એથી હું મારી નિષ્ફળતાની ખૂબ કદર કરુ છું.’
ADVERTISEMENT
કરજમાં ડૂબેલી આમિર ખાનની ફૅમિલી પાસે તેની સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નહોતા
આમિર ખાને જણાવ્યું હતું કે બાળપણમાં તેની કરજમાં ડૂબેલી ફૅમિલી પાસે તેની અને તેનાં ભાઈ-બહેનની સ્કૂલની ફી ભરવાના પૈસા પણ નહોતા. તેમની ફી હંમેશાં મોડેથી ભરવામાં આવતી હતી. આજે ભલે આમિર પાસે અખૂટ ધન-દોલત હોય, પરંતુ કપરા દિવસો તેણે પણ જોયા છે. બાળપણના એ દિવસોને યાદ કરતાં ઇમોશનલ થઈને આમિરે કહ્યું કે ‘મારો પરિવાર કરજમાં ડૂબેલો હતો અને સ્કૂલની ફી ભરવામાં ખૂબ તકલીફ થતી હતી. એ વખતે સ્કૂલમાં એવી વ્યવસ્થા હતી કે છઠ્ઠા ધોરણમાં ૬ રૂપિયા, સાતમા ધોરણમાં ૭ રૂપિયા અને આઠમા ધોરણમાં ૮ રૂપિયા હતા. આમ છતાં મારી અને મારાં ભાઈ-બહેનોની ફી મોડેથી ભરવામાં આવતી હતી. સ્કૂલમાંથી બે વખત વૉર્નિંગ આપવામાં આવતી હતી. બાદમાં એસેમ્બલીમાં આખી સ્કૂલની
સામે પ્રિન્સિપાલ નામ અનાઉન્સ કરતા હતા.’