Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે

અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે

26 May, 2022 12:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગૃહપ્રધાન અમિત શાહ માટે ૧ જૂને ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે.

અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે

અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે


ગૃહપ્રધાન અમિત શાહ માટે ૧ જૂને ‘પૃથ્વીરાજ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ વાતની પુષ્ટિ ફિલ્મના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કરી છે. ફિલ્મને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. આ ઐતિહાસિક ફિલ્મમાં અક્ષયકુમાર, માનુષી છિલ્લર, સોનુ સૂદ અને સંજય દત્ત પણ લીડ રોલમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મ ૩ જૂને હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. હવે ફિલ્મ રિલીઝ થાય એ અગાઉ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યની ગાથા ગૃહપ્રધાન અમિત શાહને દેખાડવામાં આવશે. એ વિશે ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કહ્યું કે ‘હા, આ સાચી વાત છે. અમારા માટે સન્માનની વાત છે કે માનનીય ગૃહપ્રધાન અમિત શાહજી ભારતમાતાના બહાદુર પુત્ર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મ જોવાના છે. સમ્રાટે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2022 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK