Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ

સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ

18 June, 2022 02:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાશ્મીરી પંડિતો સાથે થયેલી ઘટનાને તેણે ગાયના સ્મગલિંગ સાથે સરખાવતાં થઈ રહ્યો છે વિરોધ

સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ

સાઈ પલ્લવી સામે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટ બદલ પોલીસ-ફરિયાદ થઈ


સાઉથની ઍક્ટ્રેસ સાઈ પલ્લવી વિરુદ્ધ હાલમાં જ પોલિસ ફરિયાદ કરવામાં આવી છે. તેણે હિન્દુ વિરુદ્ધ કરેલી કમેન્ટને પગલે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તેની તેલુગુ ફિલ્મ ‘વિરાતા પર્વમ’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેણે એક ઇન્ટવ્યુ આપ્યું હતું. આ યુટ્યુબ ઇન્ટરવ્યુમાં તેણે કાશ્મીરી પંડિતોને જે નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા એ ઘટનાને ગાયની સ્મગલિંગ કરતા લોકો સાથે સરખાવી હતી. આ વિશે પલ્લવીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરીઓને જે રીતે મારી નાખવામાં આવ્યા હતા એના પર બનાવવામાં આવી હતી. હાલમાં જ એક ઘટના બની હતી જેમાં એક વ્યક્તિને મારી નાખવામાં આવ્યો હતો. તે ગાયને લઈને જઈ રહ્યો હતો અને તે મુસ્લિમ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તેને જે લોકોએ મારી નાખ્યો એ લોકો જય શ્રી રામનો નારો લગાવી રહ્યા હતા. કાશ્મીરમાં જે થયું એ અને હાલમાં જે થયું બન્ને વચ્ચે શું ફરક છે?’
સાઈ પલ્લવીની આ કમેન્ટને લઈને હૈદરાબાદનું બજરંગ દળ ગુસ્સે થઈ ગયું છે અને તેમણે પોલસ-ફરિયાદ પણ કરાવી છે. તેમણે સાઈ પલ્લવીને માફી માગવા કહ્યું છે અને એ પણ ખાસ કરીને કાશ્મીરી પંડિતોની. તેમણે એવી પણ ધમકી આપી છે કે જો તેણે માફી નહીં માગી તો પરિસ્થિતિ જલદી જ કાબૂ બહાર જઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2022 02:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK