દાદાસાહેબ ફાળકે અવૉર્ડ માટે પોતાને યોગ્ય નથી સમજતા અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું માનવુ છે કે તેઓ આ બહુમૂલ્ય દાદા સાહેબ ફાળકે અવૉર્ડ માટે યોગ્ય નથી. મંગળવારે જ સરકાર વતી જાહેર કરવામાં આવ્યુ હતું કે અમિતાભ બચ્ચનને આ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને બ્લૉગ પર લખ્યુ હતું કે ‘દાદા સાહેબ ફાળકે અવૉર્ડ માટે મારા નામની જાહેરાત થતા ભરપૂર પ્રેમ અને પ્રશંસા મળી હતી. એ મારા માટે ખુશીની વાત છે. બરફને જેમ પિગળવાથી બચાવવા માટે એક બૉક્સમાં બંધ કરીને રાખવામાં આવે છે મારી હાલત હાલમાં એવી જ છે. મને સમજ નથી પડતી કે મારી સાથે હાલમાં શું થઈ રહ્યું છે.
આ પણ વાંચો : સલમાન ખાનને શુક્રવારે કોર્ટમાં થવું પડશે રજૂ, નહીં તો જામીન થઈ જશે રદ્દ
ADVERTISEMENT
મને આ સન્માન મળી રહ્યું છે એનાથી હું શરમ અનુભવી રહ્યો છું કારણ કે મને ખબર છે કે હું આ સન્માનને લાયક નથી. એવુ લાગે છે કે તેમનાં નિર્ણયમાં કંઈ ભૂલ થઈ છે. આ સન્માનને કારણે તમારા પર સતત લોકોનું ધ્યાન રહે છે. આ એજ વસ્તુ છે જેના માટે અમે કલાકારો આખી જીંદગી એકાગ્રતાથી કામ કરીએ છીએ. એવામાં જ્યારે અમને એ વસ્તુ મળી જાય તો અમે એનાથી બચવા માટે આંખો પર ચશ્મા લગાવીએ છીએ, કારની વિન્ડોને બ્લૅક કરીએ છીએ અને સુરક્ષાકર્મીઓ સાથે હંમેશાં ફરતા હોઈએ છીએ.’