Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ વચ્ચે શું છે કનેક્શન? જુના ટ્વિટ્સ વાયરલ, વાંચો વધુ

પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ વચ્ચે શું છે કનેક્શન? જુના ટ્વિટ્સ વાયરલ, વાંચો વધુ

30 November, 2021 03:09 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બૉલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે પણ સોશિયલ મીડિયામાં પર પરાગને અભિનંદન પાઠવ્યાં છે. તેવામાં યુઝર્સે શ્રેયા ઘોષાલનું પરાગ સાથે શું કનેક્શન તે શોધી કાઢ્યું છે અને શ્રેયા અને પરાગના 11 વર્ષ જુના ટ્વિટ્સને વાયરલ કર્યા છે.

પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ

પરાગ અગ્રવાલ અને શ્રેયા ઘોષાલ


પરાગ અગ્રવાલ (Parag Agarwal)ટ્વિટરના CEO બની ગયા છે. પરાગ મુળ ભારતીય નાગરિક છે, જેમણે આઈઆઈટી બોમ્બેથી એન્જિનિયરિંગ કર્યુ છે. પરાગ અગ્રવાલ CEO બનવા પર બધા તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. બૉલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે પણ સોશિયલ મીડિયામાં પર પરાગને અભિનંદન પાઠવ્યાં છે. તેવામાં યુઝર્સે શ્રેયા ઘોષાલનું પરાગ સાથે શું કનેક્શન તે શોધી કાઢ્યું છે અને શ્રેયા અને પરાગના 11 વર્ષ જુના ટ્વિટ્સને વાયરલ કર્યા છે. પરાગ ટ્વિટરના સીઈઓ બન્યા બાદ બંનેના જુના ટ્વિટ વાયરલ થઈ રહ્યાં છે. આવો જાણીએ આખરે બંને વચ્ચે શું છે કનેક્શન.

વાસ્તવમાં શ્રેયા ઘોષાલ અને પરાગ અગ્રવાલ ઘણા સારા અને જૂના મિત્રો છે. વર્ષ 2010 માં શ્રેયા ઘોષાલ તરફથી એક ટ્વિટ આવ્યું હતું કે મને બાળપણનો બીજો મિત્ર મળી ગયો છે! જે ખોરાકનો શોખીન છે. સાથે જ તેને ફરવાનો પણ શોખ છે. તેણે આગળ લખ્યું કે પરાગ સ્ટેનફોર્ડનો વિદ્વાન છે! તેમણે પરાગને અનુસરવા અપીલ કરી હતી. આ ઘટના પરાગના જન્મદિવસના એક દિવસ પહેલા બની હતી, જેમાં શ્રેયા ઘોષાલ પરાગને વિશ કરવાની વાત કરી રહી છે. પરાગે શ્રેયા ઘોષાલ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. પરાગે લખ્યું, `શ્રેયા ઘોષાલ, તમે ખૂબ પ્રભાવશાળી વ્યક્તિ છો. ઘણા ટ્વિટર મેસેજ આવી રહ્યા છે.




ટ્વિટરના સીઈઓ બન્યા બાદ શ્રેયા ઘોષાલે ટ્વીટ કરીને પરાગ અગ્રવાલને અભિનંદન પાઠવ્યા હતા. કહ્યું- `અભિનંદન પરાગ, અમને તારા પર ગર્વ છે! અમારા માટે આ એક મોટો દિવસ છે. અમે બધા આ સમાચારની ઉજવણી કરી રહ્યા છીએ.`


પરાગ અગ્રવાલ વર્ષ 2011 થી ટ્વિટર પર કામ કરી રહ્યા છે. તે સમયે કંપનીમાં એક હજારથી પણ ઓછા કર્મચારીઓ હતા. તેમણે 2017માં કંપનીના CTO (મુખ્ય ટેકનોલોજી અધિકારી) તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. હવે પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઈઓ હશે. પરાગ IIT બોમ્બેના સ્નાતક છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2021 03:09 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK