શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી ‘ઇઝહાર’ માટે ફરીથી સાથે કામ કરે એવી શક્યતા છે. શાહરુખ અને સંજય લીલા ભણસાલી ‘દેવદાસ’ બાદ કોઈ ફિલ્મ માટે સાથે નથી આવ્યા.
શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી
શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી ‘ઇઝહાર’ માટે ફરીથી સાથે કામ કરે એવી શક્યતા છે. શાહરુખ અને સંજય લીલા ભણસાલી ‘દેવદાસ’ બાદ કોઈ ફિલ્મ માટે સાથે નથી આવ્યા. જોકે ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ શાહરુખને ઑફર કરવામાં આવી હતી. ત્યાર બાદ ‘હમ દિલ દે ચુકે સનમ 2’ માટે પણ સલમાન ખાન અને શાહરુખને સાથે લાવવાની વાત હતી, પરંતુ એમાં પણ કોઈ વાત આગળ વધી શકી નહીં. પછી સાહિર લુધ્યાનવીની બાયોપિકમાં પણ શાહરુખને લેવાની ચર્ચા હતી. જોકે આ ફિલ્મ માટે પણ શાહરુખે ના પાડી હતી. હવે એવી ચર્ચા ચાલી રહી છે કે રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ફિલ્મ ‘ઇઝહાર’માં શાહરુખને લેવામાં આવશે. ફિલ્મની સ્ટોરીમાં દેખાડવામાં આવશે કે એક ઇન્ડિયન પુરુષ નૉર્વેમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે સાઇકલથી પ્રવાસ ખેડે છે. હવે શાહરુખને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ ફરીથી લખવામાં આવશે.