Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન : ભાગલા પાડો અને રાજ કરો નીતિ પર આજે પણ બ્રિટિશરો પોતાના રોટલા શેકે છે

ઇન્ડિયા - ધ મોદી ક્વેશ્ચન : ભાગલા પાડો અને રાજ કરો નીતિ પર આજે પણ બ્રિટિશરો પોતાના રોટલા શેકે છે

03 February, 2023 04:20 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

આ સીમાંકન હાંસલ કરવા માટે પૂરા દેશે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને એ સમર્થનને કારણે જ આજે રાષ્ટ્ર દુનિયાના સૌથી અગત્યના કહેવાય એવા ટોચના પચીસ દેશોમાંથી એક બન્યું છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


બીબીસીએ બનાવેલી ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ થકી આ જ તો વાત પુરવાર થાય છે, ‘ભાગલા પાડો અને રાજ કરો.’ આ જે માનસિકતા છે એ માનસિકતાએ અગાઉ બ્રિટિશરોને શાસન આપ્યું હતું અને આ જ નીતિએ આ દેશના પણ બે ટુકડા કર્યા હતા. ૨૦૧૪ પછી જે પ્રકારના ભાઈચારાની સુવાસ દેશભરમાં પ્રસરી અને જે રીતે હિન્દુ-મુસ્લિમે સાથે મળીને વિકાસના રસ્તા પર આગળ વધવાનું શરૂ કર્યું એ જોઈને હવે બ્રિટિશ મીડિયા હાઉસ અને ગઈ કાલે કહ્યું એ, પેલા રાષ્ટ્રદ્રોહીના પેટમાં તેલ રેડી ગયું અને એટલે જ સેક્યુલર બનવાનો ઢોંગ કરતા આ મીડિયા હાઉસે ભાગલા પાડી રાજ કરવાની નીતિને આગળ ધરીને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું.

શું કામ આ ડૉક્યુમેન્ટરી બીજે ક્યાંય નહીં અને અલીબાગ યુનિવર્સિટીમાં દેખાડવામાં આવે છે, કેમ કાશ્મીરમાં આ ડૉક્યુમેન્ટરીના શો થાય છે અને કેમ નેહરુ યુનિવર્સિટીમાં આ ડૉક્યુમેન્ટરી દેખાડવામાં આવે છે? આ પ્રશ્નો પછી મનમાં પ્રતિપ્રશ્ન પણ જન્મે છે કે જો જનતાના હિત માટે જ ડૉક્યુમેન્ટરી બનતી હોય તો કેમ બ્રિટિશ બ્રૉડકાસ્ટ કંપનીને યાદ ન આવ્યું કે લવ જેહાદ માત્ર આ દેશનો જ નહીં, વિશ્વભરનો પ્રશ્ન છે અને એમાં હજ્જારો બહેન-દીકરીઓ દુખી થઈ છે. શું કામ એ વિષય પર કામ કરવાનું ન વિચાર્યું અને શું કામ એ દિશામાં પણ વિચાર ન આવ્યો કે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં બહેન-દીકરીઓની જિંદગી કેવી દોજખ બનાવી દીધી છે? શું કામ એ વિચાર પણ નથી આવ્યો કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ કેમ આટલી ઝડપથી પ્રોગ્રેસના રસ્તે છે અને શું કામ એ વિચાર પણ નથી આવતો કે નરેન્દ્ર મોદીએ કઈ રીતે તેમના વડીલ નેતાઓએ આપેલાં વચનોનું પાલન કરવાનું શરૂ કર્યું?



આ પણ વાંચો : આવું કૃત્ય રાષ્ટ્રદ્રોહી સિવાય અન્ય કોઈ વિચારી કે કલ્પી ન શકે


બહુ સામાન્ય કહેવાય એવી જ એક વાત છે. ઈર્ષ્યા એની જ થાય જે સફળ હોય.

ભારત આજે સફળ છે અને ભારતની સફળતાએ જે નવાં સીમાંકન મેળવ્યાં છે એ અદ્ભુત છે. આ સીમાંકન હાંસલ કરવા માટે પૂરા દેશે નરેન્દ્ર મોદીને સમર્થન આપ્યું છે અને એ સમર્થનને કારણે જ આજે રાષ્ટ્ર દુનિયાના સૌથી અગત્યના કહેવાય એવા ટોચના પચીસ દેશોમાંથી એક બન્યું છે. આ નાનીસૂની સિદ્ધિ નથી, આ લગીરેય અવગણી શકાય એવી સિદ્ધિ નથી. યાદ રાખજો કે આ દેશને આજના આ સ્તરે લઈ જવા માટે જે જહેમત અને મહેનત લેવામાં આવે છે એ સહેજ પણ ઓછી ઊતરતી નથી; રોટી, કપડા ઔર મકાન. બેઝિક એવી આ ત્રણ જરૂરિયાત આજે સરકારના ધ્યાન પર છે અને એ દિશામાં નક્કર કામ થઈ રહ્યાં છે.


ઇન્ટરનેટ પર જઈને ચકાસો કે છેલ્લાં આઠ-નવ વર્ષમાં કેટલાં મકાન બન્યાં અને બનેલાં એ મકાનો કેવી રીતે યોગ્ય વ્યક્તિને મળ્યાં? ઘરના ઘરનું જે સપનું સૌકોઈ સેવતું હોય છે એ સપનું સાકાર કરવાની જવાબદારી જ્યારે એક માણસ લેતો હોય છે ત્યારે નૅચરલી દુનિયાના પેટમાં તેલ રેડાય અને એમાં પણ જો એ દુનિયામાં બ્રિટિશરો આવતા હોય તો, નૅચરલી તેમના પેટમાં તો ઍસિડ રેડાય.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2023 04:20 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK