Yes Bank ની પેટા કંપનીએ ન્યુફંડ ઓફર (NFO) લોંચ કર્યું
Mumbai : યસ બેંકની પેટા કંપની યસ એસેટ મેનેજમેન્ટ (ઇન્ડિયા) લિમિટેડ (યસ એસેટ મેનેજમેન્ટ)ને એનો ત્રીજો એનએફઓ યસ ઓવરનાઇટ ફંડ લોંચ કરવાની જાહેરાત કરવાની ખુશી છે. આ એનએફઓ 19 ઓગસ્ટ, 2019થી 23 ઓગસ્ટ, 2019 સુધી ખુલ્લો રહેશે.
આ ફંડ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ છે, જે ઓવરનાઇટ સીક્યોરિટીઝમાં રોકાણ કરે છે અને મેચ્યોરિટી એક બિઝનેસ ડે છે. આ માધ્યમની રેસિડ્યુઅલ મેચ્યોરિટી એક બિઝનેસ ડે હોવાથી રોકાણ થયેલી મૂડી અને વ્યાજનાં દરનું ઓછામાં ઓછું જોખમ છે. ફંડનું મેનેજમેન્ટ પિયૂષ બરાનવાલા કરશે.
આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો
યસ ઓવરનાઇટ ફંડનાં લોંચ પર યસ એસેટ મેનેજમેન્ટનાં સીઇઓ કંવર વિવેકે કહ્યું હતું કે, “યસ ઓવરનાઇટ ફંડ ધિરાણની મૂળભૂત ક્ષમતાનું વિશ્લેષણ કરીને ધિરાણનો ઊંચી ગુણવત્તાયુક્ત પોર્ટફોલિયો જાળવશે અને ઇશ્યૂઅરની સેકન્ડરી માર્કેટ લિક્વિડિટી ઇશ્યૂર બનશે, ઇન-હાઉસ ક્રેડિટ અને લિક્વિડિટી મોડલનો ઉપયોગ કરશે. સંસ્થાગત અને રિટેલ એમ બંને પ્રકારનાં રોકાણકારો માટે આ આદર્શ ફંડ છે, જે ટૂંકા ગાળા માટે વધારાનાં રૂપિયાનું રોકાણ કરવા અને વાજબી વળતર આપવા ઇચ્છ છે.”