આ બેન્કની હોમ લોન થશે સસ્તી, ત્રીજીવાર ઘટાડ્યા વ્યાજદર
દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનના વ્યાજ દરોમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષના માર્જિનલ કોસ્ટ ઓફ ફન્ડ્સ બેઝ્ડ લેન્ડિંગ રેટ(MCLR) હવે 8.25 ટકાની જગ્યાએ 8.15 ટકા રહેશે. SBIની તમામ લોન MCLR સાથે લિન્ક્ડ છે. SBIએ લોનના વ્યાજ દર સાથે ફિક્સ્ડ ડિપોઝીટના દરોમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડો 0.10%થી લઈને 0.25%નો ડિપોઝીટના સમયગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સોમવારે આ જાહેરાત કરી છે અને 10 સપ્ટેમ્બરથી આ વ્યાજદર લાગુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે MCLRમાં બદલાવના કારણે આ વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 2016થી MCLRના આધારે લોન આપી રહી છે. બેન્કોના ઓપરેટિગ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયોને જાળવી રાખવા જેવી જરૂરી બાબતોને ધ્યાનમાં રાખીને MCLRનો દર નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓનું ધિરાણ 24 મહિનામાં સૌથી ઓછું
SBI પ્રોપર્ટીની વેલ્યુની સામે લોનની રકમ અને ગ્રાહકોના ક્રેડિટ સ્કોરના આધારે અલગ-અલગ વેલ્યુની હોમ લોન પર MCLR સિવાય 0.10%થી 1.5% સુધીનું વધુ વ્યાજ લે છે. SBIએ ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત વ્યાજ દર ઘટાડ્યો છે. જો કે વ્યાજ દર ઘટાડવા માટે બેન્કે સરપ્લસ લિક્વિડિટી હોવાની વાત કરી છે.