SBIની હોમ લોન થઈ ગઈ છે સસ્તી, જાણો 10 મહત્વની બાબતો
SBI
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કપાત કર્યા બાદ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)એ પોતાના બેન્ચમાર્ક લેન્ડિંગ રેટમાં પાંચ આધાર અંકોની કપાત કરી છે. એસબીઆઈના ઘટાડેલા દર કાલે બુધવારથી લાગુ થઈ ગયા છે. એસબીઆઈએ આ રીતે વર્ષમાં ત્રીજી વાર દરોમાં કપાત કરી છે. આવો જાણીએ વ્યાજ દરમાં આ કપાતનો ફાયદો કઈ રીતે મળશે.
1. વ્યાજ દરમાં કપાત બાદ સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયાના એમસીએલઆર 8.40% પર આવી ગયા છે. એની પહેલા 8.45% પર હતી. એમસીએલઆર આ એ દર છે જેમાં બેન્કની દરેક પ્રકારની લોન આપવામાં આવે છે.
ADVERTISEMENT
2 એમસીએલઆરમાં કપાત કરવાથી હોમ લોનના વ્યાજ દરોમાં 10 એપ્રિલ 2019થી 0.20%ની કમી આવી છે.
3 સોમવારે આરબીઆઈ ગર્વનરે કહ્યું હતું કે વ્યાજ દરોમાં એક પછી એક ત્રણ વાર કુલ 75 આધાર અંકોના કપાત બાદ કેન્દ્રીય બેન્ક એ આશા કરે છે કે કમર્શિયલ બેન્ક જલદી જ એનો લાઘ લોકો સુધી પહોંચાડશે.
4 નોંધનીય છે કે જૂનમાં મૌદ્રિક નીતિ સમિતિ (MPC)એ રેપો રેટને 0.25% ઓછું કરીને 5.75% કરી દીધું હતું.
5 આ રીતે કેન્દ્રીય બેન્કની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટને 0.25% ઘટાડવામાં આવી હતી.
6 આરબીઆઈ દ્વારા જૂનની સમીક્ષામાં કરવામાં આવેલી કપાત બાદ બેન્ક ઑફ મહારાષ્ટ્ર, કૉર્પોરેશન બેન્ક, ઓરિએન્ટલ બેન્ક અને આઈડીબીઆઈ બેન્કે પોતાની બેન્ચમાર્ક લેન્ડિંગ દરોમાં 0.5થી 0.10% સુધીની કપાત કરી છે.
7 નાણાકીય નીતિ સમિતિની આગામી બેઠક 5થી 9 ઑગસ્ટની વચ્ચે આયોજિત થવાની છે.
8 કેટલાક નિષ્ણાંતોને આશા છે કે ઑગસ્ટમાં થનારી આ સમીક્ષા બેઠકમાં એકવાર ફરી આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં કપાત કરવામાં આવશે.
આ પણ વાંચો : ચોથા ક્વાર્ટરમાં દેશમાં કારનું વેચાણ ઘટ્યું, ટૂ વ્હીલર - થ્રી વ્હીલરમાં પણ મંદીનો માહોલ
9 આની વચ્ચે એસબીઆઈએ આ વર્ષે જૂનમાં રેપો-લિન્ક્ડ હોમ લોન પ્રોડક્ટ્સ રજૂ કર્યા છે. રેપો રેટ-લિન્ક્ડ હોમ લોનનો અર્થ છે કે જ્યારે પણ કેન્દ્રીય બેન્ક દ્વારા વ્યાજ દરમાં કોઈ બદલાવ કરવામાં આવશે તો એનો ફાયદો ગ્રાહકોને સીધો મળશે.
10 જણાવી દઈએ કે 31 માર્ચ 2019 સુધી બેન્કની પાસે 29 લાખ કરોડ રૂપિયા કુલ જમા આધાર હતા.