Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

09 July, 2019 08:05 AM IST | મુંબઈ

બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

બીએસઈ

બીએસઈ


શેરબજાર માટે બજેટમાં કોઈ ખાસ મોટી જાહેરાત નથી. બજારની દ્રષ્ટિએ મંદ પડી રહેલું ભારતીય અર્થતંત્ર તાત્કાલિક તેજીમય બને, લોકોનો વપરાશ વધે, કંપનીઓના ઉત્પાદનની માંગ વધે એવી કોઈ જાહેરાત આ બજેટમાં નથી. ઊલટું, બજેટમાં એવી કેટલીક જોગવાઈઓ છે જેની બજારના રોકાણકારોના માનસ ઉપર માઠી અસર પડી છે અને શુકવાર અને સોમવાર એમ બે દિવસમાં જ બજારમાં રૂ.૫.૫૫ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.

શુકવારે બજેટના દિવસે સેન્સકેસ ૩૯૪ પોઈન્ટ અને સોમવારે ૭૯૨ પોઈન્ટ ઘટી ગયો એમ કુલ ૧૧૮૬ પોઈન્ટ ઘટી બે મહિનાની નીચી સપાટીએ પટકાયો હતો. બજેટમાં બાયબેક ઉપર ૨૦ ટકા ટેક્સ અને કેટલાક વર્ગના લોકો ઉપર આવકવેરામાં વધારાનો સરચાર્જ દાખલ કરવામાં આવ્યો છે. એવી દહેશત છે કે ટ્રસ્ટ અને એસોસિએશન ઓફ પર્સન્સ તરીકે નોંધાયેલી વિદેશી સંસ્થાઓને પણ આમાં સરચાર્જ ભરવો પડશે. આવી લગભગ ૨૦૦૦ જેટલી નાણા સંસ્થાઓ છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરીશું એટલી જ વાત કરી છે પણ કોઈ જાહેરાત નહી થતા માનસ વધારે ખરડાયું છે.



આ પણ વાંચો : ભારતમાં 1.75 લાખ લોકોએ વર્ષ દરમ્યન ખાતામાંથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડી


બીજી તરફ, પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદા પણ ૨૫ ટકાથી વધારી ૩૫ ટકા કરવામાં આવતા લગભગ રૂપિયા ચાર લાખ કરોડના શેર બજારમાં નવા વેચવા પડશે એવી ગણતરી છે. આટલી મોટી માત્રામાં શેર બજારમાં આવે તો નાણા પ્રવાહિતા ઘટી જાય એટલે પણ બજાર ઘટ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2019 08:05 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK