SBI યોનોએ FMCG શ્રી શ્રી તત્ત્વ સાથે પાર્ટનરશિપની જાહેરાત કરી
SBI યોનો FMCG શ્રી શ્રી તત્ત્વ વચ્ચે પાર્ટનરશિપ
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ ધ આર્ટ ઓફ લિવિંગ – શ્રી શ્રી તત્ત્વની એફએમસીજી કંપની સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ પાર્ટનરશિપ અંતર્ગત યોનોનાં યુઝર્સ શ્રી શ્રી તત્ત્વ દ્વારા ફૂડ, પર્સનલ કેર, હેલ્થકેર, હોમકેર, BYOGI એપેરલ્સ અને શંકર સ્કિનકેર પ્રોડક્ટ્સ જેવી 350થી વધારે ઉત્પાદનોની સંપૂર્ણ રેન્જ પર ફ્લેટ 15 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.
આ પાર્ટનરશિપની જાહેરાત કરતાં SBIનાં ચેરમેન રજનીશ કુમારે કહ્યું હતું કે, “મને યોનો પર શ્રી શ્રી તત્ત્વ સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવાની ખુશી થાય છે. શ્રી શ્રી તત્ત્વએ યોનોનાં ઓનલાઇન માર્કેટપ્લેસને ઓર્ગેનિક, વેલનેસ અને આયુર્વેદિક દવાઓનાં પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે વિસ્તૃત કર્યું છે, જે SBIનાં ગ્રાહકોને ખરીદનો સારો અનુભવ આપશે.”
ADVERTISEMENT
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અત્યારે યોનો 8 મિલિયનથી વધારે ગ્રાહકો ધરાવે છે અને દરરોજ મિલિયન લોકો લોગિંગ કરે છે. શ્રી શ્રી તત્ત્વ આગામી સમયમાં ખરાં અર્થમાં મૂલ્ય પ્રદાન કરશે. યોનો સાથે સ્ટેટ બેંક આંતરરાષ્ટ્રીય સ્તરની ડિજિટલ બેંકિંગ સેવા અને જીવનશૈલીનો અનુભવ સતત પ્રદાન કરવા કટિબદ્ધ છે તેમજ આ પાર્ટનરશિપ એનો પુરાવો છે.”
આ પણ વાંચો: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જીત્યો 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ 2019' એવોર્ડ
આ પ્રસંગે શ્રી શ્રી તત્ત્વનાં મેનેજિંગ ડાયરેક્ટર શ્રી અરવિંદ વર્ચસ્વીએ કહ્યું હતું કે, “અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જોડાણ કરીને ખુશ છીએ. ભારતમાં સૌથી મોટી બેંક તરીકે બેંકની યોનો એપ્લિકેશન અમને અમારી ગુણવત્તાયુક્ત રેન્જને વધારે લોકો સુધી પહોંચાડવાની તક આપે છે. આજે SBI સાથે અમારી નવા સંબંધની શરૂઆત થઈ છે. અમે લાંબી અને ફળદાયક ભાગીદારી સુનિશ્ચિત કરવા લાંબા ગાળે વ્યૂહાત્મક રીતે કામ કરવા આતુર રહીશું.”