Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે

અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે

29 July, 2012 04:43 AM IST |

અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે

અનિલ અંબાણી ગ્રુપને ઉત્તર પ્રદેશની સરકાર ૧૨૦૦ કરોડ પાછા આપશે


આ માટે ૧૨૦૦ કરોડ બૅન્ક-ગૅરન્ટી તરીકે ડિપોઝિટ કરાવ્યા હતા. ત્યાર બાદ માયાવતીએ મુખ્ય પ્રધાન બન્યાના થોડા જ દિવસોમાં એસઈઝેડ પ્રોજેક્ટ માટે જમીનની જોગવાઈઓનો ભંગ થયો છે એમ જણાવીને એસઈઝેડ પ્રોજેક્ટ સ્ક્રૅપ કરવાની ભલામણ કરી હતી. આ જમીનમાંથી પબ્લિક રોડ પસાર થતો હતો. માયાવતી સરકારે કેન્દ્ર સરકારને લેખિતમાં જાણ કરી હતી કે આ પ્રોજેક્ટને અપ્રૂવલ આપવામાં ન આવે અને પ્રોજેક્ટની બૅન્ક-ગૅરન્ટી તરીકે ૧૨૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવી હતી એ સ્થગિત કરી દીધી હતી.

 



આ પ્રોજેક્ટ માટે માત્ર ૭૫૦ જમીન જ પ્રાપ્ત થઈ શકી હતી. અનિલ અંબાણી ગ્રુપે રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે જરૂરી જમીન હસ્તગત કરવામાં રાજ્ય સરકાર મદદ નથી કરી શકતી તો પછી બૅન્ક-ગૅરન્ટીના પૈસા પાછા આપી દેવા જોઈએ. અનિલ અંબાણી ગ્રુપે આ માટે હાઈ કોર્ટમાં કેસ કર્યો હતો એ પણ પાછો ખેંચી લીધો હતો.


હવે અખિલેશ યાદવની સરકારે ગ્રુપને બૅન્ક-ગૅરન્ટીની રકમ પાછી આપવાનો નિર્ણય કર્યો છે.

એસઈઝેડ = સ્પેશ્યલ ઇકૉનૉમિક ઝોન


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2012 04:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK