R.કૉમના પ્રમોટર્સનું શૅરહોલ્ડિંગ ૨૨ ટકા ઘટ્યું
રિલાયન્સ કમ્યુનિકેશન (R.કૉમ)ના પ્રમોટરોનો હિસ્સો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ૨૨ ટકા ઘટuો છે જેમાં ફૅમિલી ગ્રુપ કંપનીઓએ સંયુક્ત રીતે અડધાથી વધુ ઇક્વિટી ગુમાવી છે એમ ટેલિકૉમ કંપનીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૮ના ક્વૉર્ટરમાં કંપનીમાં પ્રમોટર્સ અને ડેબ્ટ-રિડન પ્રમોટર ગ્રુપ પાસે ૫૩.૦૮ ટકા હિસ્સો હતો.
પ્રમોટર જૂથ રિલાયન્સ કમ્યુનિકેશન્સ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રખાયેલા શૅરો ૭૨.૩૧ કરોડથી ઘટીને અંદાજે ૩૬.૩૫ કરોડ થઈ ચૂ્ક્યા છે. ૨૦૧૮-’૧૯ના ત્રીજા ક્વૉર્ટરમાં અંબાણી પરિવારના સભ્યો સંયુક્ત રીતે ૧૪૫.૪૮ કરોડ ઇક્વિટી શૅર્સ ધરાવતા હતા જે સમાન નાણાકીય વર્ષના છેલ્લા ક્વૉર્ટરમાં ૫૯.૭૯ કરોડ નીચે આવ્યા છે. કંપની દ્વારા શૅરહોલ્ડિંગ પૅટર્ન પણ જાહેર કરાઈ છે.
ADVERTISEMENT
ડિસ્ક્લોઝર અનુસાર, રિલાયન્સ ઓર્નેટ્સ એન્ટરપ્રાઇઝ ઍન્ડ વેન્ચર્સ અને રિલાયન્સ વિન્ડ ટર્બાઇન ઇન્સ્ટૉલર્સ ઇન્ડસ્ટ્રીઝનું ઇક્વિટી હોલ્ડિંગ ત્રીજા ક્વૉર્ટરના ૩૦ કરોડ શૅર્સમાંથી ઘટીને અનુક્રમે ૯.૨ કરોડ અને ૮૫ લાખ થયું છે. રેકૉર્ડ અનુસાર મોટાભાના વચન અપાયેલા શૅર્સ જાન્યુઆરી-માર્ચ ૨૦૧૯ના ક્વૉર્ટરમાં ધીરનાર દ્વારા વેચાયા હતા.
આ પણ વાંચોઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વૉર્ટરમાં કર્યો ૧૦,૩૬૨ કરોડ રૂપિયાનો વિક્રમી નફો
૪૫,૦૦૦ કરોડના દાવાબોજ હેઠળ ચાલી રહેલી કંપનીએ નૅશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો છે જેથી કંપની એની સામે નાદારી લાવી શકે, કારણ કે કંપની પોતાની સંપત્તિ વેચી શકે નહીં અને ધિરાણકર્તાઓને પણ ચુકવણી કરી શકશે નહીં.