કોરોનાના કહેરમાં મોંઘવારીને ધ્યાનમાં રાખતાં રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈએ 4 ટકા દર યથાવત્ રાખ્યો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 3 દિવસ સુધી ચાલેલી કમિટીની બેઠક પછી શુક્રવારે કહ્યું છે કે મોંઘવારી દર હજી પણ ઊંચા સ્તરે રહી શકે છે
આરબીઆઈએ કહ્યું કે, મોંઘવારી દર ઊંચો રહેવાનું કારણ સપ્લાઈ ચેનમાં સમસ્યા છે. જાણકારોએ પહેલાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ. નિર્ણય પછી રેપો રેટ 4 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા, કેશ રિઝર્વ રેશિયો 3 ટકા અને બૅન્ક રેટ 4.25 ટકાના સ્તરે યથાવત્ છે.
ગવર્નર શક્તિકાંત દાસે ઉમેર્યું કે, રિટેલ મોંઘવારી નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિકમાં 6.8 ટકા, ચોથા ત્રિમાસિકમાં 5.8 ટકા રહેવાનું અનુમાન છે. RBIએ આ પહેલાં ઓક્ટોબરની મોનિટરી પોલિસીમાં અનુમાન વ્યક્ત કર્યું હતું કે 2020-21માં દેશની જીડીપીમાં 9.5 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્રીજા ત્રિમાસિકમાં 5.6 ટકાના ઘટાડાનું અનુમાન હતું, જ્યારે ચોથા ત્રિમાસિકમાં GDPમાં અડધા ટકાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTઅમેરિકન પ્રેસિડન્ટ બાઇડનની તાજપોશીને બુલિયન માર્કેટે તેજીથી વધાવી
22nd January, 2021 12:17 ISTસીરમ ઇન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગના અહેવાલને લીધે પણ ચિંતા પ્રસરી
22nd January, 2021 12:11 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 IST