સામાન્ય વ્યક્તિને RBIની ભેટ: રેપો રેટમાં 0.25%નો ઘટાડો
આરબીઆઈ
આરબીઆઈ (ભારતીય રિઝર્વ બેન્ક)એ પોતાની દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષામાં સામાન્ય વ્યક્તિને એક વાર ફરીથી રાહત આપી છે. રિઝર્વ બેન્કે નીતિગત દરોમાં એક ચતુર્થાંશનો ઘટાડો કર્યો છે. આ પ્રકારે મોદી સરકારના બીજા કાર્યકાલમાં રજૂ થયેલી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરવામાં આવ્યો છે. હોમ અને ઑટો લોન લેનારા માટે રાહતભર્યા સમાચાર છે. હવે EMIનો ભાગ ઘટશે. જણાવી દઈએ કે આ સતત ત્રીજી વાર છે જ્યારે ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં કપાત કરી છે.
આ પણ વાંચો : RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?
ADVERTISEMENT
RBI દ્વારા નીતિગત દરોમાં ઘટાડો કર્યા બાદ રેપો રેટ 6%થી ઘટાડીને 5.75% અને રિવર્સ રેપો રેટ 5.75%થી ઘટાડીને 5.50% આવી ગઈ છે. હાલમાં જ જીડીપી ગ્રોથ રેટના આંકડા આવ્યા હતા જેના અનુસાર નાણાકીય વર્ષ 2018-19ની ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 5.8% રહી. વિશેષજ્ઞોનું અનુમાન હતું કે આર્થિક વિકાસ દરમાં કમીના કારણથી રિઝર્વ બેન્ક વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે.