જેટમાં ટાટા બાદ હવે રિલાયન્સને પણ રસ, ખરીદી શકે છે જેટમાં હિસ્સો
મુકેશ અંબાણી ખરીદી શકે છે જેટમાં હિસ્સેદારી
એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી જેટ એરવેઝમાં હિસ્સો ખરીદી શકે છે. માત્ર જેટ જ નહીં પરંતુ અંબાણી એર ઈન્ડિયામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંબાણીએ જેટમાં એક હિસ્સો ખરીદવાની તૈયારી બતાવી છે.
અંબાણી બચાવી શકે છે જેટને
ચાર મહિના સુધી સંકટ સામે ઝઝુમ્યા બાદ બુધવારથી જેટ એરવેઝની તમામ ઉડાનો બંધ કરવામાં આવી હતી. જેટ એરવેઝ બંધ થવાથી 23, 000 જેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે. સ્કિલ્ડથી લઈને સેમી સ્કિલ્ડ સુધી, તમામ કર્મચારીઓ પરેશાન છે. તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, નાણામંત્રીને રજૂઆત પણ કરી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી જેટમાં હિસ્સો ખરીદી શકે છે. જેનાથી જેટના કર્મચારીઓની નોકરી બચી જશે. અંબાણી જેટમાં ભાગ એતિહાદ એરવેઝના માધ્યમથી ખરીદી શકે છે. એતિહાદની જેટમાં 24 ટકા ભાગીદારી છે. અને મુકેશ અંબાણી તેના માધ્યમથી રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છે. રોકાણ બાદ જેટ એરવેઝમાં એતિહાદની ભાગીદારી 49 ટકા થઈ જશે.
આ પણ વાંચોઃ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ
ADVERTISEMENT
એર ઈન્ડિયામાં પણ કરી શકે છે રોકાણ
માત્ર જેટ એરવેઝ જ નહીં, મુકેશ અંબાણી એર ઈન્ડિયામાં પણ હિસ્સો ખરીદી શકે છે. અહેવાલો પ્રમાણે દેવામાં ડૂબેલી એક ઈંડિયાને સંકટમાંથી બચાવવા માટે અંબાણી આ પગલું લઈ શકે છે. જેટ અને એર ઈન્ડિયા બંનેએ પાછલા નાણાંકીય વર્ષમાં મોટી ખોટ કરી હતી, જેના કારણે બંનેનો માર્કેટ શેર 25 ટકાથી પણ ઓછો રહ્યો છે.