મારુતિ સુઝુકીમાં હડતાળનો અંત : આજથી ઉત્પાદન શરૂ
ગઈ કાલે કંપનીના મૅનેજમેન્ટ, કામદારો અને હરિયાણા સરકાર વચ્ચે ઍગ્રીમેન્ટ થયું હતું જેને પગલે હડતાળનો અંત આવ્યો હતો. ઍગ્રીમેન્ટ મુજબ કંપની ડિસમિસ કરવામાં આવેલા ૬૪ કર્મચારીઓ અને ૧૨૦૦ કેઝ્યુઅલ વર્કર્સને કામ પર પાછા લેશે. જોકે ૩૦ પર્મનન્ટ કર્મચારીઓનું સસ્પેન્શન ચાલુ જ રહેશે.