Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સ્લોડાઉનનો સામનો કરવા માટે સરકાર પાસે મર્યાદિત વિકલ્પો છે : પ્રણવ મુખરજી

સ્લોડાઉનનો સામનો કરવા માટે સરકાર પાસે મર્યાદિત વિકલ્પો છે : પ્રણવ મુખરજી

15 December, 2011 09:55 AM IST |

સ્લોડાઉનનો સામનો કરવા માટે સરકાર પાસે મર્યાદિત વિકલ્પો છે : પ્રણવ મુખરજી

સ્લોડાઉનનો સામનો કરવા માટે સરકાર પાસે મર્યાદિત વિકલ્પો છે : પ્રણવ મુખરજી


 

ફિસ્કલ અને મૉનિટરી પગલાં લીધાં હોવા છતાં વિશ્વસ્તરે અગ્રણી દેશો, ખાસ કરીને યુરોપના દેશો ૨૦૦૮થી શરૂ થયેલી મંદીમાંથી પૂરેપૂરા બહાર નથી આવ્યા. આને કારણે પૉલિસીમેકર્સ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આને કારણે આગામી સમયમાં ઊભી થનારી સ્થિતિનો સામનો કરવા માટે આપણી પાસે મર્યાદિત વિકલ્પો જ ઉપલબ્ધ થશે.’

રૂપિયાના ઘટી રહેલા મૂલ્ય બાબતે પ્રણવ મુખરજીએ ઉમેર્યું હતું કે ‘૨૦૦૮માં જે ગ્લોબલ ક્રાઇસિસ ઊભી થઈ હતી એને પગલે ભારતમાં મોટા પાયે વિદેશી પૈસા આવ્યા હતા એટલે રૂપિયાના મૂલ્યમાં વધારો થયો હતો. અત્યારે યુરો ક્રાઇસિસને કારણે વિદેશી નાણાં ભારતમાંથી બહાર પાછા જઈ રહ્યા છે એને કારણે કરન્સીમાં અફડાતફડી વધી છે. આપણે છેલ્લા કેટલાક મહિનાઓમાં ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો જોયો છે. એક્સ્ટર્નલ ડિમાન્ડમાં ઘટાડો થવાથી એક્સર્પોટના ગ્રોથરેટમાં ઘટાડો થયો છે અને કરન્ટ અકાઉન્ટની ડેફિસિટ વધીને જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના ત્રણ ટકા જેટલી થઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2011 09:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK