ધનતેરસ પર સોનું ખરીદતા સમયે આ 4 વાતોનું રાખો ખાસ ધ્યાન
સોનામાં રોકાણ કરતા પહેલા રાખો ધ્યાન
દિવાળી પહેલા ધનતેરસના તહેવારમાં કાંઈન નવું ખરીદવાની પરંપરા છે. ખાસ કરીને ધાતુ ખરીદવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસ પર પીળા રંગની ધાતુ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જો કે હાલમાં સોનાની કિંમતો વધારે છે. જો તમે પણ ધનતેરસના અવસર પર સોનું ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો કેટલી જરૂરી વાતોનું ધ્યાન રાખજો.
શુદ્ધતા અને હૉલમાર્ક ચેક કરવાનું ન ભૂલો
સોનાનું શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. સામાન્ય રીતે સોનાના ઘરેણાં 22 કેરેટમાં બને છે. તો સોનાના બિસ્કિટ 24 કેરેટમાં બને છે. આ સિવાય કિંમતી પથ્થર સાથે બનાવવામાં આવેલા ઘરેણાં 18 કેરેટના સોના સાથે બનાવવામાં આવે છે. સોનું ખરીદતા સમયે હૉલમાર્કની તપાસ કરો.
સોનાની જ્વેલરી પર અલગથી લાગે છે આ ચાર્જ
સોનું ખરીદતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે તેને ખરીદ્યા બાદ જ તમારા ખર્ચા પુરા નથી થઈ જતા પરંતુ તમારે તેમાંથી ઘરેણા બનાવવા માટે મેકિંગ ચાર્જિસ પણ આપવા પડશે. આ સિવાય સોનાના મૂલ્ય પર 3 ટકા જીએસટી અને મેકિંગ માટે 5 ટકા જીએસટી આપવો પડે છે.
સોનું ખરીદવા માટે શરતો
જો તમે સોનું કોઈ સ્થાનિક સોની, સ્ટૉક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા કે બેંક સિવાયની નાણાકીય કંપની કે ઑનલાઈન ખરીદો છો તો તેના માટે વેપારી પાસેથી બાયબેક વિકલ્પોની પણ તપાસ કરો. એક વાત જરૂર જાણી લો કે બેંકથી ખરીદવામાં આવેલા સોનાના સિક્કાને ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર પાછું નથી વેચી શકાતું. બીજી તરફ જો તમે એક જ્વેલરને પોતાનું સોનું વેચી રહ્યા છો, તો તેના માટે તેમને ઓછી કિંમત મળવાની સંભાવના છે. કારણ કે તે તેમને મેકિંગ ચાર્જ અને એડમિનિસ્ટ્રેટિવ ચાર્જનું પેમેન્ટ નહીં કરે.
આ પણ જુઓઃ Diwali 2019: આ છે આ વર્ષના દિવાળી ટ્રેન્ડ્સ, તમે પણ કરો ટ્રાય
ADVERTISEMENT
સોનામાં રોકાણ
સોનાને મોંઘવારી સામે લડવા માટે સારું રોકાણનું સાધન માનવામાં આવે છે, એટલે જ ઘણા લોકોનું તે પસંદગીનું રોકાણ કરવાનું માધ્યમ છે. સોનામાં રોકાણ કરવા માટે સૉવરેન ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં રોકાણ કરી શકાય છે, પરંતુ તેના માટે ફિઝિકલ ફૉર્મમાં સોનું રાખવાની જરૂર નથી. સ્કીમમાં રોકાણકારો માટે પ્રતિ યૂનિટ ગોલ્ડમાં રોકાણનો મોકો મળે છે. એ સિવાય તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી શકો છો.