જીએસટી કાઉન્સિલની મીટિંગ ૨૦ જૂને, ૨૮ ટકા સ્લૅબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ
૨૮ ટકા સ્લૅબમાંથી દૂર થશે ઘણી વસ્તુઓ
સરકાર દ્વારા ૫ જુલાઇના રોજ રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટ પહેલાં ૨૦ જૂનના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક થઈ શકે છે. આ બેઠકમાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ(જીએસટી)માં રાહત આપવાની તૈયારી છે. સૂત્રોનું કહેવું છે કે ૨૮ ટકાવાળા જીએસટી સ્લેબમાંથી ઘણા સામાનને દૂર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. બેઠકની અધ્યક્ષતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કરશે. કેટલીક રાજ્ય સરકારોએ પણ જીએસટી સ્લેબ ઘટાડવાને સમર્થન કર્યું છે. આ બેઠકમાં જીએસટીને લઈને અંતિમ નર્ણિય કરવાની આશા છે.
જીએસટી કાઉન્સિલ બેઠકમાં ઇલેક્ટ્રોનિક ઇન્વોઇસિંગ શરૂ કરવા પર વિચાર કરી શકે છે. આ ઉપરાંત ઑટો સેક્ટરના વેચાણમાં આવેલા ઘટાડાથી પણ જીએસટીના દર ઘટાડવા પર દબાણ વધ્યું છે. એન્ટ્રી પ્રોફિટિયરિંગ ફ્રેમવર્કના વિસ્તાર પર પણ ચર્ચા સંભવ છે. જાણકારોનું કહેવું છે કે બજારની ડિમાન્ડમાં આવેલી સુસ્તી સ્પક્ટ જોવા મળી રહી છે, એવામાં તે માટે ટૂંક સમયમાં પગલાં ભરવા પડશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઇલેક્ટિક વાહનોનો અભિગમ મહત્વકાંક્ષીની સાથે વ્યવહારી પણ હોવા જોઇએ : SIAM
જાણકારોનું એ પણ કહેવું છે કે આ સુસ્તીનો દાયરો વધાર્યો તો નોકરીઓ પર સંકટ આવી શકે છે. ઘણા સામાન પર જીએસટીના દર ઓછા થવાની આશા છે, બજારમાં ખરીદારી વધશે. તેનાથી પહેલાં આરબીઆઇએ આ મહિનાની શરૂઆતમાં રેપો-રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ રેપો રેટ ઘટીને ૫.૭૫ ટકા પર પહોંચી ગયો છે.