Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

15 January, 2021 01:30 PM IST | Mumbai
Mumbai correspondent

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ

ભારતીય અર્થતંત્રના વૃદ્ધિદરમાં 1 વર્ષના ગાળામાં ઉછાળો આવશે:ફિચ રેટિંગ્સ


ભારતીય અર્થતંત્ર પર કોરોના વાઇરસની અસર નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં નહીં, પણ ત્યાર પછીનાં ત્રણ વર્ષમાં થવાનો અંદાજ ફિચ રેટિંગ્સે વ્યક્ત કર્યો છે.
આ આંતરરાષ્ટ્રીય રેટિંગ ઍજન્સીનું કહેવું છે કે શરૂઆતમાં એટલે કે ૨૦૨૧-’૨૨માં અર્થતંત્રમાં ઉછાળો આવતાં વૃદ્ધિદર ૧૧ ટકા રહેશે, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩થી એમાં ૬.૫ ટકા જેટલી વૃદ્ધિ થશે.
ફિચના અહેવાલમાં ગુરુવારે કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં રોકાણ ઘટ્યું હોવાથી મધ્યમ ગાળામાં પુરવઠો પ્રમાણમાં ઓછો રહેશે. કોરોના પૂર્વે પુરવઠાની વૃદ્ધિનો વાર્ષિક અંદાજ ૭ ટકાનો હતો, પરંતુ ૨૦૨૦થી ૨૦૨૫ના ગાળામાં આ વૃદ્ધિદર ૫.૧ ટકા રહેવાની ધારણા છે. આ ઘટાડાનું કારણ રોકાણમાં થયેલો ઘટાડો છે.
ફિચે આગામી માર્ચમાં પૂરા થનારા નાણાકીય વર્ષ દરમિયાન ભારતની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર ૯.૪ ટકા ઘટવાની ધારણા છે. ગયા એપ્રિલ-જૂન ગાળામાં વૃદ્ધિદર પાછલા વર્ષની તુલનાએ ૨૩.૯ ટકા અને જુલાઈ-સપ્ટેમ્બર ગાળામાં ૭.૫ ટકા ઘટ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2021 01:30 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK