Lockdown Outbreak: ઈ-કોર્મસ કંપનીઓ બિનજરૂરી સામાન સપ્લાય નહીં કરી શકે
પ્રતિકાત્મક તસવીર
ગૃહ મંત્રાલયે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં કહ્યું છે કે, કોરના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોર્મસ કંપનીઓ પર લાદવામાં આવેલા બિન-જરૂરી સામનની સપ્લાય પર પ્રતિબંધ કાયમ જ રહેશે. સરકારના આ નિર્ણયને લીધે એમેઝોન અને ફિલ્પકાર્ટ બીનજરૂરી સામાન નહીં વેચી શકે.
સરકારે લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે પરંતુ બિન-જરૂરી સામાનની ડિલીવરી નહીં કરી શકાય. ગત સપ્તાહે ગૃહ મંત્રાલયે 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વાહનોનો ઉપયોગ માત્ર જરૂરી સામાનની ડિલીવરી માટે થશે. આ દરમિયાન કોઈ પણ બિન-જરૂરી સામાનની ડિલીવરી પર પ્રતિબંધ કાયમ રહેશે.
ADVERTISEMENT
આવતી કાલથી એટલે કે 20 માર્ચથી શાકભાજી-ફળની લારીઓ, સાફ-સફાઈનો સામાન વેચવાની દુકાનો ખુલશે. કરિયાણું અને રેશનની દુકાનો, ડેરી અને મિલ્ક બૂથ, પોલ્ટ્રી, મીટ, માછલી અને ઘાસચારો વેચનારી દુકાનો પણ ખુલશે. આ ઉપરાંત ઇલેક્ટ્રીશિયન, આઈટી રિપેરર્સ, પ્લમ્બર, મોટર મિકેનિક, કારપેન્ટર, કુરિયર, ડીટીએચ અને કેબલ સર્વિસિસ ચાલુ થશે.