Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > Lockdown Outbreak: ઈ-કોર્મસ કંપનીઓ બિનજરૂરી સામાન સપ્લાય નહીં કરી શકે

Lockdown Outbreak: ઈ-કોર્મસ કંપનીઓ બિનજરૂરી સામાન સપ્લાય નહીં કરી શકે

19 April, 2020 03:15 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Lockdown Outbreak: ઈ-કોર્મસ કંપનીઓ બિનજરૂરી સામાન સપ્લાય નહીં કરી શકે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ગૃહ મંત્રાલયે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં કહ્યું છે કે, કોરના વાયરસ (COVID-19)ને કારણે લાગૂ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનમાં ઈ-કોર્મસ કંપનીઓ પર લાદવામાં આવેલા બિન-જરૂરી સામનની સપ્લાય પર પ્રતિબંધ કાયમ જ રહેશે. સરકારના આ નિર્ણયને લીધે એમેઝોન અને ફિલ્પકાર્ટ બીનજરૂરી સામાન નહીં વેચી શકે.

સરકારે લૉકડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે પરંતુ બિન-જરૂરી સામાનની ડિલીવરી નહીં કરી શકાય. ગત સપ્તાહે ગૃહ મંત્રાલયે 20 એપ્રિલથી કેટલીક ગતિવિધિઓને શરૂ કરવાની મંજૂરી આપી હતી. જેમાં ઈ-કોમર્સ કંપનીઓને કામ કરવાની મંજૂરી આપી છે. સરકારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે જાહેર કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ કરી દીધું છે કે ઈ-કોમર્સ કંપનીઓ અને તેમના વાહનોનો ઉપયોગ માત્ર જરૂરી સામાનની ડિલીવરી માટે થશે. આ દરમિયાન કોઈ પણ બિન-જરૂરી સામાનની ડિલીવરી પર પ્રતિબંધ કાયમ રહેશે.



આવતી કાલથી એટલે કે 20 માર્ચથી શાકભાજી-ફળની લારીઓ, સાફ-સફાઈનો સામાન વેચવાની દુકાનો ખુલશે. કરિયાણું અને રેશનની દુકાનો, ડેરી અને મિલ્ક બૂથ, પોલ્ટ્રી, મીટ, માછલી અને ઘાસચારો વેચનારી દુકાનો પણ ખુલશે. આ ઉપરાંત ઇલેક્ટ્રીશિયન, આઈટી રિપેરર્સ, પ્લમ્બર, મોટર મિકેનિક, કારપેન્ટર, કુરિયર, ડીટીએચ અને કેબલ સર્વિસિસ ચાલુ થશે.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2020 03:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK