Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા

નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા

27 May, 2017 06:58 AM IST |

નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા

નાણામંત્રાલયે RVNLનો હિસ્સો વેચવા માટે નિયમો હળવા કર્યા




ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટે (DIPAM - દીપમ) રિવાઇઝ્ડ રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ જાહેર કરી છે, જે મુજબ એક વાર ઓછામાં ઓછા ૨૫૦ કરોડ રૂપિયાનો ઇશ્યુ મૅનેજ કરનાર મર્ચન્ટ બૅન્કરને બિડની પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી અપાઈ છે. પહેલાંની પ્રપોઝલમાં આ મર્યાદા ૫૦૦ કરોડ રૂપિયા હતી, જે દીપમે RVNLના IPO માટે જાહેર કરી હતી.





દીપમનો આશય પાંચ મર્ચન્ટ બૅન્કરની નિમણૂક કરવાનો હતો, પરંતુ કડક ધોરણોને લીધે ત્રણ જ મળ્યા હતા. એ ત્રણમાં અન્ડલવાઇસ ફાઇનૅન્શ્યલ સર્વિસિસ, યસ સિક્યૉરિટીઝ અને IDFC બૅન્ક લિમિટેડ સામેલ હતી.

હવે નવી પ્રપોઝલ પ્રમાણે દીપમે જાહેર કર્યું છે કે એ પાંચને બદલે ત્રણ જ મર્ચન્ટ બૅન્કરનો સમાવેશ કરશે. બિડ ભરવાની છેલ્લી તારીખ ૧૯ જૂન છે.



RVNLએ ૨૦૧૫-’૧૬માં ૨૮૭.૫૯ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને એની નેટવર્થ ૨૮૨૭.૮૩ કરોડ રૂપિયા હતી. પબ્લિક ઑફરિંગનો કેટલોક હિસ્સો કંપનીના કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવશે. લાયકાત ધરાવતા કર્મચારીઓ તેમ જ રીટેલ રોકાણકારોને ઇશ્યુની કિંમત કરતાં ડિસ્કાઉન્ટમાં શૅરની ઑફર કરવામાં આવશે.
Whatsapp-channel Whatsapp-channel

27 May, 2017 06:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK