અનિલ અંબાણીની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સનો IPO નહીં પડે બહાર
અનિલ અંબાણી
રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સે પ્રસ્તાવિત IPOની યોજનાને પાછી ખેંચી લીધી છે. રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ IPOના માધ્યમથી 200 કરોડ રૂપિયાના નવા શેરોનું વેચાણ કરવાનું હતું. સાથે જ રિલાયન્સ કેપિટલના 79, 489, 821 શેર વેચવા માટે વેચવાના હતા.
બજાર નિયામક સેબીએ રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સના પ્રસ્તાવિત આઈપીઓનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રૉસપેક્ટ્સ આ નિર્ગમના લીડ મેનેજર મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના માધ્યમથી 8 ફેબ્રુઆરીએ મળ્યો હતો.
સેબીના અનુસાર IPOનો ડ્રાફ્ટ ઑફર ડૉક્યૂમેન્ટ્સ લીડ મેનેજર મોતીલાલ ઓસવાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સે પાછી લીધી છે. આ સંદર્ભે મોતીલાલ ઓસવાલે ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સે 24 ઑક્ટોબરે ઈમેઈલ કર્યો હતો. જો કે, સેબીએ ઑફર ડોક્યૂમેન્ટ પાછા લેવાના કારણનો ખુલાસો નથી કર્યો.
કોઈપણ કંપની જો IPO જેવા માધ્યમથી ફંડ એકઠું કરવા માંગે છે તો તેણે પહેલા સેબી પાસેથી અનુમતિ લેવી પડે છે. ઑક્ટોબર 2017માં રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સે પોતાના IPOના દસ્તાવેજો સાથે સેબીનો સંપર્ક કર્યો હતો અને તેને મંજૂરી નવેમ્બર 2017માં મળી ગઈ હતી.
આ પણ જુઓઃ જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણી
ADVERTISEMENT
જો કે, પ્રાથમિક બજારમાં IPO પ્રત્યે રોકાણકારોની ઉદાસિનતા અને શેર બજારના ઉતાર ચડાવ જેવી સ્થિતિઓના કારણે હાલ તેણે આ યોજના ટાળી દીધી છે.