ઘઉંના ટેકાના ભાવ યથાવત્ રાખવા સરકાર તૈયાર નથી
કમિશન ફૉર ઍિગ્રકલ્ચરલ કૉસ્ટ ઍન્ડ પ્રાઇઝિસે ભાવ યથાવત્ રાખવાનું કહ્યું હતું, પરંતુ ખાતર અને ડીઝલના ભાવવધારાને ધ્યાનમાં રાખીને ૨૦૧૨-’૧૩ માટે નવા ભાવ જણાવવાનું સરકારે આ પંચને કહ્યું છે. કૃષિપ્રધાન શરદ પવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ઉક્ત જાણકારી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે વર્તમાન વર્ષ માટેના ઘઉંના ટેકાના ભાવની જાહેરાત આગામી પંદર દિવસમાં કરીશું.