Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

24 December, 2018 01:28 PM IST | New Delhi

અટલ બિહારી વાજપેયીના નામ પર બહાર પડશે રૂ.100નો સિક્કો

વાજપેયીના નામથી બહાર પડેલા સિક્કાનું મૂલ્ય 3300-3500 રૂપિયા રહેવાની અપેક્ષા છે. (ફાઇલ)

વાજપેયીના નામથી બહાર પડેલા સિક્કાનું મૂલ્ય 3300-3500 રૂપિયા રહેવાની અપેક્ષા છે. (ફાઇલ)


પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતી પર ભારત સરકાર તેમનો સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી શકે છે. આ સંબંધે નાણા મંત્રાલયની તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે.

સ્મારક સિક્કાને સો રૂપિયાના મૂલ્યવર્ગમાં રાખવામાં આવશે, જોકે તે ચલણમાં નહીં આવે. આ સિક્કાને 3300થી 3500 રૂપિયાની પ્રિમિયમ કિંમતે વેચવાની અપેક્ષા છે.



નાણા મંત્રાલયના સૂત્રો પ્રમાણે, વાજપેયીના આ સ્મારક સિક્કાની ડિઝાઈન તૈયાર થઈ ચૂકી છે. મુંબઈ ટંકશાળ ટુંક સમયમાં તેની ડાઈ બનાવીને તેનું મુદ્રણ શરૂ કરી શકે છે.


35 ગ્રામના આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબું, પાંચ ટકા નિકલ અને પાંચ ટકા જસત હશે. આ સિક્કાની એક બાજુ પર અટલજીનું ચિત્ર, તેમના જન્મનું વર્ષ 1924, મૃત્યુ વર્ષ 2018 અને હિંદી અને અંગ્રેજીમાં તેમનું આખું નામ અંકિત થશે.13:00:56સો રૂપિયાનો આ સિક્કો ચલણમાં નહીં આવે. ભારત સરકાર સિક્કાના બુકિંગ માટે સમય નક્કી કરશે અને તેને પ્રિમિયમ કિંમતો પર વેચશે. તેને ટંકશાળમાંથી સીધો પણ ખરીદી શકાશે. આ સિક્કાનું મૂલ્ય 3300-3500 રૂપિયા રહેવાની અપેક્ષા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 December, 2018 01:28 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK