Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

06 February, 2021 01:16 PM IST | New Delhi
Agency

આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

આરબીઆઇ

આરબીઆઇ


ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ભારતના ૧૦૦ મોટા દેવાદારોની લોન માફ કરવામાં આવી છે અને જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે એમાં જતીન મહેતાની કંપની ટૉપમાં છે. રિઝર્વ બૅન્ક દ્વારા એક રિપોર્ટ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ૧૦૦ મોટા વિલફુલ ડિફૉલ્ટર્સની લોન જતી કરવામાં આવી છે જેની કુલ કિંમત ૬૨,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.

આરટીઆઇમાં વધુ એક મોટો ખુલાસો થયો છે કે લોન ચૂકવ્યા વગર દેશમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ડિફૉલ્ટરના લિસ્ટમાં ટોચના ક્રમે છે અને કંપનીની એનપીએ ૫૦૦૦ કરોડથી પણ વધારે છે. કંપનીની ૬૨૨ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.



બિશ્વનાથ ગોસ્વામી દ્વારા એક આરટીઆઇ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ માહિતી બહાર આવી છે. બૅન્ક દ્વારા જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે એમાં ભાગેડુ વિજય માલ્યાને પણ રાહત મળી છે. વિજય માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સની ૧૩૧૪ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 01:16 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK