Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ભારત આંતરરાષ્ટ્રીય સીડ સંધિના નવમા સત્રની યજમાની કરશે

ભારત આંતરરાષ્ટ્રીય સીડ સંધિના નવમા સત્રની યજમાની કરશે

17 September, 2022 08:25 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૯ જૂન, ૨૦૦૪ના રોજ અમલમાં આવેલી આ સંધિને ભારત સહિત ૧૪૯ દેશો દ્વારા બહાલી આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક


ઇન્ટરનૅશનલ ટ્રીટી ઑફ પ્લાન્ટ જિનેટિક રિસોર્સિસ ફૉર ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચરની ગવર્નિંગ બૉડી (આઇટીપીજીઆરએફ)નું નવમું સત્ર રાષ્ટ્રીય રાજધાની-દિલ્હીમાં ૧૯થી ૨૪ સપ્ટેમ્બર દરમ્યાન યોજાશે.

આઇટીપીજીઆરએફ એ ખોરાક અને કૃષિ માટે વિશ્વનાં વનસ્પતિ આનુવંશિક સંસાધનોના સંરક્ષણ, વિનિમય અને ટકાઉ ઉપયોગ દ્વારા ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનો એક વ્યાપક આંતરરાષ્ટ્રીય કરાર છે તેમ જ તેના ઉપયોગથી ઉદ્ભવતા વાજબી અને સમાન લાભની વહેંચણી છે અને એ રાષ્ટ્રીય કાયદાઓને આધીન ખેડૂતોના અધિકારોને પણ માન્યતા આપે છે. એ બીજ-સીડ સંધિ તરીકે પણ ઓળખાય છે, આઇટીપીજીઆરએફએ નવેમ્બર ૨૦૦૧માં સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનની પરિષદના ૩૧મા સત્ર દ્વારા અપનાવવામાં આવ્યું હતું. ૨૯ જૂન, ૨૦૦૪ના રોજ અમલમાં આવેલી આ સંધિને ભારત સહિત ૧૪૯ દેશો દ્વારા બહાલી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2022 08:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK