સીએમઆઇઈના ડેટા અનુસાર બેરોજગારી દર ઘટીને ૬.૪ ટકા આવ્યો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ખાનગી રિસર્ચ ફર્મના જણાવ્યા અનુસાર નવી નોકરીઓમાં જોરદાર ઉછાળાને કારણે સપ્ટેમ્બરમાં ભારતનો બેરોજગારી દર ચાર વર્ષ કરતાં વધુ સમયનો સૌથી નીચો દર છે.
સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી પ્રાઇવેટ લિમિટેડના ડેટા અનુસાર બેરોજગારીનો દર ઝડપથી ઘટીને ૬.૪૩ ટકા થઈ ગયો છે. આ દર ઑગસ્ટ ૨૦૧૮ બાદનો સૌથી નીચો દર છે અને એક વર્ષે ટોચે પહોંચેલા ઑગસ્ટના ૮.૪ ટકાના દર કરતાં પણ નીચો છે.
ADVERTISEMENT
મહિના દરમ્યાન ૧૦ લાખ નવી નોકરીઓ ઉમેરવામાં આવી હતી, જે ઑગસ્ટમાં રોજગારી મળી ન હોવાથી દર ઊંચો ગયો હતો. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ઑગસ્ટમાં ૭.૭ ટકાથી ઘટીને ૫.૮ ટકા થયો હતો, જ્યારે શહેરી વિસ્તારોમાં આ દર ગત મહિને ૯.૬ ટકા હતો, જે ઘટીને ૭.૭ ટકા આવ્યો છે.
નવીનતમ ડેટા ભારતની તહેવારોની મોસમની પૃષ્ઠભૂમિ સામે આવે છે જે સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિને વેગ આપે છે અને નોકરીઓના વિકાસમાં મદદ કરે છે. સારા ચોમાસાને કારણે સેવા ક્ષેત્રમાં મજબૂત માગને કારણે રોજગારીની તકોમાં વધારો થવાની સંભાવના છે.