ગુજરાતમાં કુલ વાવેતર વિસ્તારમાં ગયા વર્ષની તુલનાએ ૪૯ ટકાનો વધારો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં વાવેતરલાયક વરસાદનો હજી સર્વત્ર અભાવ છે, પરંતુ ખરીફ વાવેતરમાં વેગ આવી રહ્યો છે. ગુજરાતમાં ૨૦ જૂન સુધીમાં સરકારી આંકડાઓ મુજબ મગફળીનું ૨૦ ટકા અને કપાસની ૨૫ ટકા વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જોકે વરસાદના અભાવે આમાંથી અનેક વિસ્તારમાં વાવેતર નિષ્ફળ જવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને આગોતરા વાવેતર થયા છે એમાં મોટી અસરની ભીતિ છે.
ગુજરાત સરકારના કૃષિ વિભાગના આંકડાઓ પ્રમાણે રાજ્યમાં કપાસના સરેરાશ ૨૪ લાખ હેક્ટરની તુલનાએ ૫.૮૯ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે, જે ગયા વર્ષની તુલનાએ ૬૭ ટકાનો વધારો બતાવે છે. મગફળીનું પણ ૧૮.૪૨ લાખ હેક્ટરના સરેરાશ વાવેતરની તુલનાએ આ વર્ષે અત્યાર સુધીમાં ૩.૬૬ લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે જે ગયા વર્ષ કરતાં ૪૧ ટકા વધારે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં કુલ ખરીફ વાવેતર ૧૦.૨૪ લાખ હેક્ટરમાં થયું છે, જે ગયા વર્ષે આ સમયે ૬.૮૯ લાખ હેક્ટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૪૮ ટકાનો વધારો બતાવે છે.