Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર ૬૭ ટકા અને મગનું વાવેતર ૪૨ ટકા વધ્યું

ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર ૬૭ ટકા અને મગનું વાવેતર ૪૨ ટકા વધ્યું

08 April, 2021 02:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં એકમાત્ર ગુજરાતમાં ઉનાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. સમગ્ર દેશમાં ઉનાળુ તલ અને મગફળીનું સૌથી વધુ વાવેતર ગુજરાતમાં થાય છે, આથી આ બન્નેની માર્કેટ ગુજરાતના ઉત્પાદન પરથી નક્કી થાય છે.

ગુજરાતમાં ઉનાળુ વાવેતર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે અને ચાલુ વર્ષે વાવેતર નવ લાખ હેક્ટરને પાર પહોંચી ગયું છે. ગુજરાતમાં સૌથી વધુ વધારો આ વર્ષે તલના વાવેતરમાં ૬૭ ટકાનો જોવા મળ્યો છે. આગામી દિવસોમાં વાવેતર હજી પણ થોડું વધે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.



રાજ્યમાં તલના વાવેતરમાં ૬૭ ટકાનો વધારો થઈને ૯૧,૧૦૦ હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે કુલ ૫૪,૦૦૦ હેક્ટરમાં થયું હતું. ઉનાળુ મગફળીના વાવેતરમાં માત્ર ચાર ટકાનો જ વધારો થઈને ૫૬,૬૭૬ હેક્ટરમાં થયું છે. વેપારીઓના મતે વાવેતર બમણું થવાનો અંદાજ હતો, પંરતુ વાવેતર ગત વર્ષ જેટલું જ થયું છે.


ગુજરાતમાં કઠોળ પાકનું વાવેતર આ વર્ષે સારી માત્રામાં વધ્યું છે. મગના વાવેતરમાં ૪૨ ટકા અને અડદના વાવેતરમાં ૨૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2021 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK