અત્યારે સિસ્ટમમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાથી અધિક રીટેલ ડિપોઝિટ્સ સિસ્ટમમાં છે
પ્રતીકાત્મક તસવીર
રીટેલ ડિપોઝિટરોને તેમની બૅન્ક ડિપોઝીટ પર નકારાત્મક વળતર મળે છે અને તેથી વ્યાજદર પરના કરવેરાની પુનઃસમીક્ષા જરૂરી છે, એમ દેશની સૌથી મોટી ધીરાણકર્તા બૅન્ક સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે.
બધા ડિપોઝિટરો માટે નહીં તો કમસે કમ સિનિયર સિટિઝન્સ કે જેઓ વ્યાજની આવક પર નિર્ભર છે તેમના માટે કરરાહતનો વિચાર કરવો જોઈએ એમ સૌમ્ય કાંતિ ઘોષની આગેવાનીના અર્થશાસ્ત્રીઓએ એક નોંધમાં કહ્યું હતું. અત્યારે સિસ્ટમમાં ૧૦૨ લાખ કરોડ રૂપિયાથી અધિક રીટેલ ડિપોઝિટ્સ સિસ્ટમમાં છે. વિકાસ માટે વ્યાજદર નીચા રાખવામાં આવ્યા છે તે ડિપોઝિટરોને ખૂંચે છે. સિનિયર સિટિઝન્સ માટે ટૅક્સની મુક્તિમર્યાદા વધારવી જોઈએ.
ADVERTISEMENT
વધુ પડતી પ્રવાહિતાને કારણે બૅન્કોના માર્જિન પર સતત દબાણ વરતાય છે, એમ પણ નોંધમાં જણાવાયું હતું.