Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > લૉકડાઉનને કારણે તુવેરદાળની માગ ઘટતાં ભાવમાં નરમાઈ

લૉકડાઉનને કારણે તુવેરદાળની માગ ઘટતાં ભાવમાં નરમાઈ

07 May, 2021 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૂન મહિનામાં તુવેરની ૭૦થી ૭૫ હજાર ટનની આયાતનો અંદાજ

તુવેરદાળ

તુવેરદાળ


દેશમાં લૉકડાઉનની અસરે તુવેરદાળની માગમાં મોટો ઘટાડો થયો હોવાથી ભાવમાં પણ નરમાઈ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકારે હજી તુવેરની આયાતનો ક્વોટા ફાળવવાનો બાકી હોવાથી અને પાક પણ ઓછો હોવા છતાં ભાવ ઘટી રહ્યા છે.

દેશમાં કોરોનાને કારણે હાલમાં મોટા ભાગની મંડી બંધ છે અને પ્રોસેસિંગ મિલો પણ બંધ હોવાથી હાલના તબક્કે વેપાર મંદ પડ્યા છે. મુંબઈમાં લેમન તુવેરના ભાવ ક્વિન્ટલે ૫૦૦ રૂપિયા ઘટીને ૬૫૦૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યાં છે, જ્યારે અરુષા ક્વૉલિટીની તુવેરમાં ભાવ ઘટીને ૬૧૫૦થી ૬૨૦૦ રૂપિયા ચાલી રહ્યા છે.



બજારનાં સૂત્રો કહે છે કે કોરોનાને કારણે માગ ન હોવાથી ભાવ ઘટ્યા છે, પરંતુ જો કોરોનાની સ્થિતિ હળવી થશે. ત્યાર બાદ બજાર સુધરી શકે છે. હાલમાં આયાતી માલનું પ્રેશર આવે એવી પણ સંભાવના છે. જૂન મહિનામાં દેશમાં સુદાનથી ૩૦થી ૪૦ હજાર ટન અને આફ્રિકાથી જૂની તુવેર ૨૦થી ૨૫ હજાર ટન આવે એવી સંભાવના છે. કેન્દ્ર સરકારે કુલ ચાર લાખ ટન આયાત ક્વોટા ફાળવ્યો છે, જ્યારે બે લાખ ટન સરકાર આયાત કરશે. આ આયાત ક્વોટાની જેમ-જેમ ફાળવણી થશે એમ આયાતી માલ આવશે.


બર્મામાં હાલમાં ૨.૫૦ લાખ ટન તુવેરનો સ્ટૉક પડ્યો છે, જેમાંથી ૫૦ હજાર ટન જૂનો અને બે લાખ ટન નવી તુવેર છે.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2021 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK