Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

યુવા ઉદ્યમીઓને કારણે ભારતનું ભાવિ ઉજ્જવળ છે : માસાયોશી સોન

04 December, 2021 11:59 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમણે જણાવ્યામુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતમાં યુવા ઉદ્યમીઓ કંઈક કરી બતાવવાની ધગશ ધરાવે છે અને તેથી ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, એમ ખ્યાતનામ ઇન્વેસ્ટર માસાયોશી સોને શુક્રવારે કહ્યું હતું. તેમણે જણાવ્યા મુજબ આ વર્ષે એમના સોફ્ટબૅન્ક ગ્રુપે ભારતમાં ત્રણ અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. 
જપાનીઝ ટેક્નૉલૉજી ગ્રુપ સોફ્ટબૅન્કના ચીફ અૅક્ઝિક્યુટિવ સોને ઇન્ફિનિટી ફોરમમાં બોલતા કહ્યું હતું કે એમનું ગ્રુપ ભારતમાં સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. દેશના તમામ યુનિકોર્નને લગભગ ૧૦ ટકા જેટલું ભંડોળ સોફ્ટબૅન્ક ગ્રુપે આપ્યું છે. મને ભારતના યુવા ઉદ્યમીઓના ધગશમાં વિશ્વાસ છે. હું ભારતીય યુવાનોને કહું છું કે હું તમને ટેકો આપીશ. આપણે ભેગા મળીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીશું. 
અહીં જણાવવું રહ્યું કે સોફ્ટબૅન્ક પેટીએમ, ઓલા, ડિલ્હીવરી, ફ્લિપકાર્ટ, મીશો વગેરેમાં રોકાણ ધરાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2021 11:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK