24 May, 2026 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિયાન પરાગ અને હાર્દિક પંડયા
IPL 2026ની ૬૯મી મૅચ આજે મુંબઈના પ્રતિષ્ઠિત વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રૉયલ્સની આ ટક્કર પ્લેઑફની અંતિમ ટીમ બનવાની રેસ માટે મહત્ત્વપૂર્ણ છે. આજની મૅચ જીતીને રાજસ્થાન ૧૬ પૉઇન્ટ સાથે પ્લેઑફમાં એન્ટ્રી મારી શકશે. હારશે તો આઉટ થઈ જશે, કારણ કે ગઈ કાલે જીતીને પંજાબ ૧૫ પૉઇન્ટ પર પહોંચી ગયું છે. રાજસ્થાન ૧૩ મૅચમાં ૭ જીત અને ૬ હાર સાથે ૧૪ પૉઇન્ટ ધરાવે છે. હૅટ-ટ્રિક હાર બાદ છેલ્લી મૅચમાં લખનઉ સામે જીતીને રાજસ્થાને પ્લેઑફની આશા જાળવી રાખી હતી. મુંબઈ ૧૩ મૅચમાં ૪ જીત અને ૯ હારને કારણે ૮ પૉઇન્ટ સાથે તળિયાની ટીમમાંની એક છે. મુંબઈ પૉઇન્ટ-ટેબલમાં સૌથી તળિયાની એટલે કે દસમા ક્રમાંકની ટીમ બનવાથી બચવાનો પ્રયાસ કરીને આજે વિજયી વિદાયની આશા રાખશે. વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાનને ૨૦ મૅચમાં ૧૦ જીત અને ૧૦ હાર મળી છે. હોમ-ટીમ સામે રાજસ્થાન અહીં ૯ મૅચ રમ્યું છે અને એમાંથી રાજસ્થાન ૪ અને મુંબઈ પાંચ મૅચ જીત્યું હતું. બન્ને વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી ટક્કર એપ્રિલ ૨૦૨૪માં થઈ હતી. આ મૅચમાં રાજસ્થાને ૧૨૬ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૬ વિકેટે જીત મેળવી હતી. મુંબઈ પોતાના હોમગ્રાઉન્ડ પર ૯૮માંથી ૫૯ મૅચ જીત્યું છે અને ૩૯ મૅચ હાર્યું છે. વર્તમાન સીઝનની ૬ હોમ-મૅચમાંથી મુંબઈ માત્ર બે મૅચ જીત્યું છે. મુંબઈને પહેલી મૅચમાં કલકત્તા સામે અને અંતિમ ટક્કરમાં લખનઉ સામે જીત મળી હતી. મુંબઈને હોમગ્રાઉન્ડ પર વચ્ચેની ૪ મૅચમાં સતત હાર મળી હતી. મૅચનો સમય બપોરે ૩.૩૦ વાગ્યાથી