
ગણેશ ચાટના દુકાનમાલિક સુરેન્દ્ર યાદવે કહ્યું હતું કે ‘ઝાડુવાળા સવારે એક જ વાર આવે છે. એને બદલે હજી બેથી ત્રણ વાર આવવું જોઈએ. બેસ્ટનો ડેપો અને કૅન્ટીન હોય એવો પરિસર સ્વચ્છ હોવો જોઈએ. બેસ્ટની બસમાં ચડતા પ્રવાસીઓએ કચરાની દુર્ગંધ આવતાં નાક બંધ કરવું પડે છે.’
બૅટરીની દુકાન ધરાવતા ઈશાન શેખે કહ્યું હતું કે ‘બેસ્ટના જ કૅન્ટીનમાલિક દ્વારા દરરોજ વહેલી સવારે પાંચ વાગ્યે કચરો ઠાલવવામાં આવે છે. તેઓ એવી દાદાગીરી કરે છે આ બેસ્ટની જગ્યા છે, તમને શું વાંધો છે. ક્લીન-અપ માર્શલોને અહીં કચરો કરનારાઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ એક-બે દિવસ આવ્યા બાદ ફરક્યા જ નહોતા. વસ્ત્રો તૈયાર કરનારા કારખાનાની ચિંદી ફેંકીને પણ ગંદકી કરવામાં આવે છે. કેટલીયે વાર અમે દુકાનદારોએ પૈસાની ઉઘરાણી કરીને કચરાનો નિકાલ કર્યો છે, પણ દરરોજ કઈ રીતે કરીએ?’
બેસ્ટ પ્રશાસનનું શું કહેવું છે?
ડેપોના પરિસરમાં કચરાનું સામ્રાજ્ય હોય એ બહુ ખોટું કહેવાય એમ જણાવીને બેસ્ટના અધિકારીએ કહ્યું હતું કે ‘આ મામલે અમે તપાસ કરીને પગલાં ભરીશું. આગામી કેટલાક દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.’
Set as favorite
Bookmark
Email This
Comments (0)

Write comment